SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પૂજા કરનારાને હિતશિક્ષા ૧. પૂજા કરનારાએ પ્રથમ સ્નાન કરવાનું વસ્ત્ર શુદ્ધ રાખવું અને તે સ્નાન સિવાય બીજા કોઈપણ કર્તવ્યોમાં વાપરવું નહિ. ૨. સ્નાન કરતી વેળાયે ભૂમિ શુદ્ધિ કરવી અને જીવાકુલ ભૂમિને સ્વચ્છ ભૂમિ ઉપર યતનાથી બેસી પ્રાસુક પાણિથી સ્નાન કરવું જોઇએ. ૩. સ્નાન કર્યા બાદ ધોતિયાને શરીરનું લુંછન કરવું નહિ કિંતુ બીજું વસ્ત્ર રાખવું જોઇએ. ૪. સ્નાન કર્યા બાદ અશુચિ પાણીના તેમજ મેલ વિગેરેના છાંટાઓ શરીરના ઉપર પડવા દેવા નહિ. ૫. કામલીયો સ્વચ્છ પહેરવી, સાધારણ ખાતાની પહેરવી નહિ પરંતુ પોતાના ઘરની રાખવી કારણ કે સાધારણ ખાતાની કામલીયો દરેક ભાઈઓએ પહેરેલી હોવાથી ઘણી જ ભીની રહે છે તેના અંદર કદાચ જીવ જંતુઆદિકની ઉત્પત્તિ થઈ જાયછે તથા લીલી પહેરવાથી કમ્મર વિગેરે વિષે ધાદર થાય છે ને ખણવાથી રૂધિર નીકળે છે તેથી પરમાત્માની પૂજા કરતાં અટકી પડે છે માટે સાધારણ ખાતાની કામલીયો નહિ પહેરતાં ઘરની કામલી રાખવી તથા આઠ દિવસે પ્રાસુક પાણિથી શુદ્ધ કરવી તેમજ વાયુ છૂટેલ હોયતો પણ પ્રાસુક પાણિ વડે કરી સાફ કરી શુદ્ધ કર્યા બાદ તેને વાપરવી. ૬. પૂજા કરવાનાં વસ્ત્રો પણ જુદાં જ રાખવાં અને તે પણ સાધારણ ખાતાનાં વાપરવાં નહિ. ઘરમાં રાખવાથી શુદ્ધતાઈ સારી રહે છે, આઠ દિવસેપ્રક્ષાલન કરી શકાય છે અને વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. માટે પૂજા કરવાના વસ્રની જોડે પોતાના ઘરની જ રાખવીલાયક છે. ૭. ચાંદલા કરતી વખતે તેમજપૂજા કરતી વખતે સાધારણ ખાતાનું કેશર ઉપયોગ પૂર્વક વાપરવું પરંતુ “મફતકા ચંદન ઘસ બેલાલીયા” Jain Education International ૬૦ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy