SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સાચવવાનુ ભાન પ્રાયઃ ઓછું જ લક્ષ બિંદુમાં આવી શકે છે. પૂજા કર્યા બાદ રકાબીયો કેશરની વાટકીયો કલશો વિગેરે જ્યાં ત્યાં રખડતા મુકી બેદ૨કા૨વાળા જૈનો ઘર પ્રત્યે ગમન કરવા દોડધામ કરી મુકે છે.પરંતુ તે લોકોને ખાસ જણાવવામાં આવે છે કે પૂજા કર્યા બાદ તમામ ઉપકરણો જ્યાંથી એટલે જે સ્થળેથી ગ્રહણ કર્યા હોય તેજ સ્થળે પાછાં યતનાપૂર્વક સ્થાપન કરવાં પરંતુ રખડતાં મૂકવાંનહિ કારણ કે તેમ કરવાથી દોષ ઉત્પન્ન થાય છે વળી પૂજાનાં પહેરેલાં વસ્ત્રો પણ તેજ સ્થળે સાચવીને મુકવાં પરંતુ જ્યાં ત્યાં ફેંકી દેવાં નહિ. તથા કામલીયો પહેરી નીચે આવતાં ધોતિયું પહેરતાં જે મૂર્ખાઈ કરવામાં આવે છે. તે મૂર્ખતાને સર્વથા ત્યાગ કરવી. આજકાલ બહુ લોકો પહેરતી વખતે કામલીને કેવલ ભ્રષ્ટતા જ કરે છે. કામલી કાઢી ખાસડા ઉપર ફેંકે છે તેમજ જે સ્થળે ખાસડાં પડેલાં હોય છે, તેજ સ્થળે બદલીને નાખીને ચાલતા થાય છે તથા ઉચ્છિષ્ટને અપવિત્ર જગ્યાએ વિષે નાખી દે છે એવી ક્રિયા પ્રાયઃ કદી કોઈક જ ગામને વિષે દેખવામાં નહિ આવે. અર્થાત્ ઘણા ભાગે તો તેમજ જોવામાં આવે છે. એવી રીતે ઉપરોક્ત પ્રમાણેકામલીયોને ભ્રષ્ટ કરે છે અને તે ભ્રષ્ટ થયેલી કામલીયોને પૂજા કરનારા નિરંતર પહેરે છે તેથી સ્નાન કરી પવિત્ર થયેલ છતાં ભ્રષ્ટ કામલીયોને પણ સ્પર્શ કરવાથી અપવિત્ર થઈ પૂજા કરે છે અને તેથી પાપકર્મના ભાગીદાર બેદ૨કારિપણાથી ઉચ્છિષ્ટ જગ્યાના ઉપર ફેંકનારા જૈનો જ થાય છે માટેમહાનુભાવો સમજો અને સર્વથા દોષાપત્તિનો ત્યાગ કરી નિર્મલતાથી પરમાત્માની પૂજા કરી સદગતિના ભોકતા થાઓ. Jain Education International ૫૯ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy