SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વળી એક બીજો પણ અન્યાય ઘણે ઠેકાણે ઘણા જૈનોને વિષે જોવામાં આવે છે તે એ છે કે કાચી કળીયો કે જે વિકસ્વર ભાવને પામેલી નહિ હોવા છતાં તેમને વીંધાવવામાં તથા ગુંથાવવામાં આવે છે આવું કર્તવ્ય કરવું પણ જૈનોને લાયક નથી જો કે પરિણામે બંધ છે અને ભાવના પ્રમાણે લાભ પ્રાપ્ત થઈ શકે છે તો પણ એટલું તો જરૂર યાદ રાખવું જોઇએ કે કાચી કલીયોના હાર ગુંથાવવા વીંધાવવા નહિ તેમજ કાચી કલીયોથી પરમાત્માની પૂજા પણ કરવી નહિ. વિકસ્વર પુષ્પો ચડાવવા તથા તેનાજ હારો ગુંથાવી પરમાત્માને ચડાવવામાં આવે તો કોઈ પણ પ્રકારનો બાદ આવી શકતો નથી. તથા ગ્લાનિ પામેલા તેમજ કરમાઈ ગયેલા પુષ્પ પત્રો પણ ચડાવતાં પહેલાં વિચાર કરવો અને ચક્ષુથી નિહાલી દષ્ટિ શુદ્ધ કરી કાયાથી પણ બરાબર તપાસ કરી અસાર ભાગને દુર કરી સારી પુષ્પાદિકથી પૂજા કરી પૂર્ણ લાભ મેળવવા જૈનોએ તત્પર થવું તેજ લાભદાયક છે. વળી વાસી પુષ્પો ચડાવવાં નહિ. પૈસાના લોભે રાત્રિપુષ્પો લાવી રાખી મુકે છે અને પાણી છાંટવાથી થોડા ઘણા જેવાને તેવા રહે છે અને તે પુષ્પો ઘણા ખરા જૈનો વિચાર કર્યા સિવાય તેમજ તપાસ કર્યા સિવાય ગ્રહણ કરી પરમાત્માને ચડાવે છે અને લાભને બદલે તોટો લેવા વાળા થાય છે માટે દરેક જૈનબાંધવોએ ઉપરોક્ત કથન પ્રમાણે સર્વથા પુષ્પોના દોષોનો ત્યાગ કરી પરમાત્માને પુષ્પો ચડાવી. અખંડ લાભનેઉત્પન્ન કરવો તેજ સર્વોત્કૃષ્ટ શ્રાવકપણાનું ભૂષણ છે. पूजा कर्या बाद पुजाना उपकरणोने विषे बैदरकारपणुं त्याग करवानी आवश्यकता. રૂઢીયો એવી તો ખરાબ થઈ ગઈ છે કે લોકોને ધાર્મિક ઉપકરણો M૫૮ - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy