SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કરવામાં આવે છે તે ઘણું જ અનુચિત છે. કારણ કે લાવનાર માણસ હલકા વર્ણનો હોય છે તેથી તેમના શરીરની તેમજ વસ્ત્રની શુદ્ધિ તેમજ પુષ્પ લાવવાની છાબડી તેમજ ટોપલીની પણ શુદ્ધિ હોતી નથી તેમજ પુષ્પના છોડ ઉપરથી પુષ્પોને કયા પ્રકારે ગ્રહણ કરવા તે તેમને સ્વપ્રે પણ ખબર હોતી નથી. વળી તે માણસ અજ્ઞાની હોવાથી પુષ્પ ભરેલ છાબડી ટોપલા તેમજ વસ્ત્રને ઉચ્છષ્ટ ભૂમિ ઉપર મુકે છે તેથી પુષ્પો અપવિત્ર થાય તે પણ તેને ખબર નહિ હોવાથી દરેક જૈન ભાઈઓને વિચાર કરવા લાયક છે. આપણે તપાસ કરીને ચડાવીએ. પ્રથમ તો ચાલુ વડે કરીને પુષ્પોને તેમજ પુષ્પોની માલાને તેમજ ડમરાના પત્ર તથા કેવડાનાં પાન વિગેરેની તપાસ કરવી જોઇએ જો તેના અંદર કોઈપણ જીવો હોય તો મહાયતનાથીતે મરણ પામે નહિ તેવી રીતે એકાંત સ્થાને સ્થાપન કરવા જોઈએ ત્યારબાદ ઉપરોક્ત પ્રમાણે શટન પટન વિધ્વંસ ભાવ તેમજ દુર્ગધ તથા પ્લાની ભાવને પામેલાને તથા અંદર જે જે સ્થળે ખરાબ દેખાવામાં આવે તેને તેનાથી ગ્રહણ કરી દૂર મુકવાં જોઇએ કે જેના ઉપર કોઈ પણ માણસોનાં પગલા વિગેરે પડે નહિ હાલમાં ઘણા જ લોકો રસ્તાને વિષે પુષ્પો પત્રો વિગેરેને ફેંકી દે છેતે ઘણું શોચનીય છે કારણ કે તેથી જૈનોના નિર્ધ્વસ પરિણામ અનુમાન કરી શકાય છે. માટે તેમ નહિ કરતાં યતનાથી કાળજીપૂર્વક કાર્ય કરવામાં આવે ત્યારે જ જૈનોની બલીહારી કહેવાય. વલી ઘણા વિવેકરહિત જીવોને પુષ્પો વીંધાવીને જ હાર કરાવવાની ટેવ પડી હોય છે. તો તેપણ ખેદકારક છે. વિંધાવ્યાથી દયાનો ગંધ પ્રથમ રહેતો નથી. અને બીજી રીતે પુષ્પોને વીંધ્યા શિવાય ગુંથીનેહાર કરાવવાથી મનોહર અને દેદીપ્યમાન હાર થાય છે અને દોષાપત્તિ સર્વથા દૂર થાય છે તેમજ મહા લાભ પણ ઉત્પન્ન થાય છે માટે પુષ્પોને ગુંથવા વિશે ઉદ્યમવંત થવું જોઇએ. ૫૭ Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy