SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભાવાર્થ : પુજા કરનારા માણસ પુજા કરતો છતો શરીરને વિષે લાગેલા તેમજ પૃથ્વીને વિષે પડેલા પુષ્પો વડે કરી વીતરાગ મહારાજની પુજાને કરે તો તે માણસ ઉચ્છિષ્ટ એટલે નીચ કુલને વિષે જન્મને પામે છે. માટે વિચક્ષણ જીવોએ પુજા કરતાં પુષ્પ ચડાવતી વેળાએ ઉપયોગતાથી ખાસ સાવચેતી રાખવી જોઈએ. पद्मपुराणेपि कीटकेशापविद्धानि, शीर्णपर्युषितानि च । वर्जयेदूर्णनामेत, वासित यदि शोभनम् ॥१॥ ભાવર્થ : કીડાઓ તથા કેશાદિક વડે કરી વીંધાયેલ તેમજ વિશીર્ણભાવને પામેલ તથા પ્લાન થઇ ગયેલ પુષ્પોને ત્યાગ કરવાં તથા ખરાબ વસ્તુથી વાસિત થયેલ પુષ્પ જો કે સારું હોય તો પણ ત્યાગ કરવું. વિવેચન : શાસ્ત્રકાર મહારાજા કથન કરે છે કે ઉપયોગ એ ધર્મ છે અને તેથી કરી જે જે કર્તવ્યો ઉપયોગ પૂર્વક કરવામાં આવે છે તેમાં બહુ જ આનંદ ઉપજે છે એટલું જ નહિ પરંતુ લાભ પણ ઘણો જ થાય છે. પરમાત્માની પૂજા કરનારા ભવ્ય બાંધવોને સર્વ કર્તવ્યો પુષ્પને વિષે ઉપયોગ રાખવાની આવશ્યકતા છે. હાલમાં પુષ્પશુદ્ધિનો ઉપયોગ ઘણો જ અલ્પ જોવામાં આવે છે, પરમાત્માની પુજા કરવામાં પુષ્પ ચડાવનારા બહુ જ નજરે પડે છે પરંતુ તેમાં વિચારશીલ માણસો ઘણા જ ઓછાં હોય છે, ખરું પુછાવો, તો પ્રથમ પુષ્પોને ભવ્યજીવોએ પોતાના હસ્તથી જ છોડ ઉપરથી ચુંટવા જોઇએ. તોપણ એવા તો કોમળપણાથી કે પુષ્પના છોડના જીવને તો શું પરંતુ પુષ્પના જીવને પણ કીલામણા થાય નહિ. તેવી રીતે કરવાથી જ જૈનોનો પ્રથમ ઉપયોગ સચવાય છે. આધુનિક સમયને વિષે હલકા વર્ણના માણસો પાસે પુષ્પો મંગાવવામાં આવે છે અને હલકા માણસોએ લાવેલા પુષ્પો લઈને પુજા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy