SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થાય છે તથા અજ્ઞાનતાથી ઘૂંકના છાંટા પણ ઉડે છે માટે પૂજા કરવા સમયે મૌન કરવું તેજ શ્રેયસ્કર છે. વળી પૂજા કરવાના સમયે પાપમય વચનો પણ બોલવા લાયક નથી કારણ કે તેવા વચનોનો ઉદ્ગાર કાઢતાં મહાપાપ લાગે નિસિપિત્રિકને વિષે જ સાવધ વચનોને ત્યાગ કરવાનું આવી જાય છે. માટે આ સંબંધમાં ડાહ્યા માણસોએ બરાબર વિચાર કરવો લાયક છે, ચાલુ જમાનાને વિષે પૂજા કરવા જૈન મંદિરમાં પ્રવેશ કરનારાઓનો પંદરઆની ભાગ વચનશુદ્ધિ સાચવી શકતો નથી તેમા પણ અજ્ઞાની માણસ તો બિચારા એમ જ સમજે છે કે જૈન મંદિરમાં પૂજા કરવા નિમિત્તે પ્રવેશ કર્યા પછી જો આપણે કાંઈપણ બોલીશું તો આપણે દંડાશું આપણને પાપ લાગશે. એવી રીતે ડર ખાઈને મૌનવૃત્તિ ધારણ કરે છે. અથવા તો થોડું જ બોલે છે. પરંતુ વિશેષ બોલનારા પૈકી સુધરેલ સમાજ અત્યારે ઘણો જ જોવામાં આવે છે સાવદ્ય વચનોનોવરસાદ વરસાવી વીતરાગ મહારાજની આણાનો ભંગ કરી શાસ્ત્રકાર મહારાજાનાં વચનોને ઉત્થાપિ કેવલ મલીન અને ચીકણાં પાપકર્મ બાંધે છે તો તે જૈનોની મોટી ભૂલ છે કારણ કે જો સાવધ વચનો બોલવાં હોય તથા લડાઈ ટંટો કરવો હોય તથા બીજાને ગાળો દેવી હોય તેમજ નિંદા વિકથાદિ કરવા હોય તો પૂજા કર્યા પછી જૈન મંદિર બહાર જઇ કયાં થઈ શકતાં નથી. પરંતુ ભવભીરૂ જૈનોએ તો પૂજાકરવાના સમયે જરૂરાજરૂર મૌનવૃત્તિ ધારણ કરી વચનશુદ્ધિની વૃદ્ધિ કરી સાવદ્ય વચનોને સમુદ્રપાર કરવા તેજ શોભાયુક્ત છે. कायशुद्धिः મન તેમજ વચન શુદ્ધિ સ્થિર કર્યા બાદ પરમાત્માની પૂજા કરનારા જીવોને કાય શુદ્ધિ કરવાની ખાસ આવશ્યકતા છે અને પૂજાના સમયે સાવધકાર્યના સાધનભૂત હાંસી તેમજ ભ્રકુટિ વિગેરેની સંજ્ઞા પણ ન M ૫૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy