SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રોધ કરી ઉત્તમ પ્રકારે પૂજાના પૂર્ણ ફલને મેળવી પૂર્ણાનંદ પદ પ્રાપ્ત કરવું તેજ શ્રેયસ્કર છે. वचन शुद्धिः મનોવૃત્તિ અંગીકાર કરી સાવદ્ય (પાપ યુક્ત) વચનનો પરિહાર કરવો તેને શાસ્ત્રકાર મહારાજા વચન શુદ્ધિ કહે છે. અતએવ પૂજાને વિષે અવશ્ય મૌનવૃત્તિ ભવ્ય જીવોએ ધારણ કરવી જોઇએ જે માટે કહ્યું છે કેयदुक्तं - पडिलेहपूअभोअण, विआरभूमीपडिक्कमणकाले । मग्गे गच्छंतेण मुणिणा मोणं विहेयव्वं ॥ १ ॥ ભાવાર્થ : ડિલેહણ કરવાના સમયે તથા પૂજાના સમયે તથા ભોજન સમયે તથા વિહાર સમયે તેમજ વડીનિતિ લઘુનિતિ કરવાના સમયે, તેમજ માર્ગને વિષે ગમન કરતા છતા મુનિયોએ મૌન ધારણ કરવું જોઇએ. વિવેચન : ઉપરોકત તમામ કર્તવ્યોને વિષે મૌનવૃત્તિ ધારણ કરવી તે લાભદાયક છે તેમાં પણ વિશેષ કરી પૂજા કરવાના સમયે મૌનપણું ધારણ કરવું તે ભવ્ય જીવોએ એકાંત રીતે હિતકારક છે. ચાલતા વર્તમાન કાલને વિષે ઘણા ખરા જૈનો પૂજાને કરનારા જોવામાં આવી શકે છે પરંતુ તેને વિષે પણ મૌનવૃત્તિ ધારણ કરી પૂજા કરનારા પ્રાયઃ ઘણા જ સ્વલ્પ હશે તેનું કારણ એ છે કે પૂજા કરવાના સમયે ઘણા લોકોને દુહા વિગેરે બોલવાની ટેવ પડેલી હોય છે. યદ્યપિ દુહાબોલવામાં આવે તે મર્યાદા પૂર્વક બોલાય અને પોતાને આશાતના નહિ થતાં કાંઈપણ બાધ કરતાં ન થાય તો તે ઠીક છે. પરંતુ અવિવેકથી દુહા બોલવામાં આવે અને તેથી આશાતનાથવાનો સંભવ રહે તો મૌનવૃત્તિ ધારણ કરવી તેજ લાભદાયક છે. દુહા બોલવાના સમયે મુખ પરમાત્માની મૂર્તિ પાસે રાખવુ હાનિ કારણ કેમકે તેમ કરતાં શ્વાસોશ્વાસનો સ્પર્શ પરમાત્માને Jain Education International ૪૯ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy