SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પેઠેરમાડવાની ક્રિયા કરે છે. અહીં ! અજ્ઞાની જીવો ! પ્રભુ પૂજાને વિષે આવી અજ્ઞાન કરણી કરતા પાછા હઠો, પાછા હઠો, પાછા હઠો. " કિં બહુના ! શાસ્ત્રકાર મહારાજે ભવ્ય જીવોને પૂજા કરવાના સમયે સાત પ્રકારની શુદ્ધિ રાખવાને માટે ખાસ આગ્રહ પુર્વક સૂચના કરેલ છે. કહ્યું છે કે – यदुक्तं-मनोवाक्कायवस्त्रोर्वी पूजोपकरणस्थितौ । शुद्धिः सप्तविधा कार्या, श्रीजिनेन्द्रार्चनक्षणे ॥१॥ ભાવાર્થ : શ્રીમાન જિનેશ્વર મહારાજની પુજા સમયને વિષે મુક્તિ અભિલાષી જીવોયે મન શુદ્ધિ ૧, વચન શુદ્ધિ ૨, કાય શુદ્ધિ ૩, વસ્ત્ર શુદ્ધિ ૪, પૃથ્વી શુદ્ધિ ૫, પુજાના ઉપકરણની શુદ્ધિ ૬, તથા સ્થિતિ શુદ્ધિ ૭. આ સાત પ્રકારની છે. આ સાત પ્રકારની શુદ્ધિ રાખવાને માટે ફરમાન કરેલ છે માટે ભાગ્યવાન જીવોયે ઉપરોક્ત સાત પ્રકારની શુદ્ધિ જિનેશ્વર મહારાજની પૂજા સમયે જરૂરાજરૂર કરવી જોઇએ. ( પૂજા ક્રવામાં શુદ્ધિO યથા મન: શુદ્ધિ : પરમાત્માની પુજા કરવાના જીવોએ મનશુદ્ધિ કરવી. આ મનશુદ્ધિ ઘરબાર, દુકાન, વ્યાપાર, લક્ષ્મી, લેવડ દેવડ, સ્ત્રી, કુટુંબના પરિહાર વડે કરી થાય છે, પૂજા કરવા ગયેલ માણસનું પુગલકેવલ જિનેશ્વર મહારાજના ચૈત્યને વિષે જાય છે અને ચેતન તો સંસારની આળપંપાળ જંજાળની અંદર ફર્યા કરે છે તેવી રીતે પૂજા કરવાથી લેશ માત્ર ફાયદો થતો નથી પરંતુ પૂજા કરવામાં ચિત્ત નહિ હોવાથી પૂજા કર્યાનું ફલ તથા સંસાર સંબંધી લાભનાં ફલ પણ નષ્ટ થાય છે.કિંબહુના બન્ને થકી ભ્રષ્ટ થાય છે. માટે હે ભવ્ય જીવો ? પૂજા કરતી સમયે ચલાયમાન ચિત્તનો M૪૮ ४८८ - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy