SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કહેવાનું તાત્પર્ય એ છે કે મઘમઘાયમાન સુગંધ પદાર્થવાળા સુગંધિ દ્રવ્યો વડે કરી વીતરાગ મહારાજની પૂજા કરવાથી પૂજનાર પોતે પણ સ્વલ્પ કાળને વિષે સુરેંદ્રના સમૂહોથી પૂજાય છે. અર્થાત્ સમગ્ર કર્મને ક્ષીણ કરી સ્વર્ગ મૃત્યુને પાતાળના જીવોથી પોતે પણ પુજાય છે. તો તે ઉત્તમ જીવો, તમે જરા ખ્યાલ કરો આવા ઉપરોક્ત ઉત્તમ પ્રકારના સુગંધિ દ્રવ્યોથી જ પરમાત્માની પૂજા કરવાથી સંસાર ચક્રવાલને વિષે પરિભ્રમણ કરવું પ્રશાંતભાવને પામે છે માટે ઉત્તમ પ્રકારનો ધૂપને રાખી ધૂપ સહિત પૂજા કરી સ્વઆત્માને તારવા ઉજમાલ થાઓ. वीतराग महाराजने प्रक्षालन करतां राखववा लायक शान्तता। ત્યારબાદ જૈનો પરમાત્માને સ્નાત્ર કરવા ઉજમાલ થાય છે તે સમયે શાંતિ રાખવી જોઇએ તેના બદલામાં ઘણા ખરા લોકો ઉતાવળ કરતા હાલમાં માલુમ પડે છે પરમાત્માના આભૂષણો ઝપાઝપ ઉતારવા મંડી જાય છે. અને તેમ કરતાં પોતાના હાથનો અને આભૂષણોનો ઠપકો પરમાત્માની મૂર્તિને લગાવાથી આશાતના થાય છે. તેનું પણ ભાન ભાગ્યે જ જોવામાં આવે છે તથા આભૂષણ ઉતાર્યા પછી પણ મોર પિંછી શીવ્રતા વડે કરી અવિવેકથી પરમાત્માના ઉપર ફેરવવામાં આવે છે તેથી પરમાત્માની આશાતના થાય છે. તેનું પણ જ્ઞાન જૈનોને દેખાવવામાં આવતું નથી. ત્યારબાદ વાળાકુંચીને લઈ ધડાધડ ને તડાતડ પરમાત્માના ઉપર ઘસવા માંડે છે આહા? શું અજ્ઞાનતા?એટલું પણ લક્ષ હોતું નથી કે ઇહાં બસ વડે કરી વસ્ત્રો સાફ કરવાના નથી પરંતુ પરમાત્માના ઉપર ચડેલ કેશર વિગેરે સાફ કરવાનું છે, માટેધીમે અને પોચે હાથે વાલાફેંચી એવી રીતે ફેરવવી જોઇએ કે તેનો શબ્દ માત્ર પણ પાસે ઉભેલો માણસ સાંભળી શકે નહિ પરંતુ આવી રીતે નહિ વર્તવાથી જૈનો અવિવેકથી પુન્યને બદલે પાપ બાંધે છે તથા સ્નાત્ર સમયે ઉતાવળ કરવાથી દુધ અને પાણીથી ભરેલા કળશોનો તેમજ કળશ નાળચાનો ભાગ પરમાત્માની M૪૪ - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy