SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સમાન સુક્ષ્મમાં સુક્ષ્મ નાનો અગરબત્તીનો ટુકડો લેવાથી તેના અંદરથી ધૂમાડો સરખો પણ નીકળતો દેખાતો નથી તો પરમાત્માને ધૂપ તો થાય જ શાનો ?તથા પોતાની તેજ દિવસની દુર્ગંધ દુર થતી નથી તો અનાદિ કાલની દુર્ગધતા દૂર થાય જ શાની ? અલબત્ત ન જ થાય. કારણ કે મનોહર ધૂપધાણાને વિષે અગર બરાસ, કપૂર અને દશાંગ ધૂપને સારી રીતે નાખવાથી સમગ્ર જૈન મંદિર મઘમઘાયાન થઈ જાય ત્યારે જ ધૂપ પૂજા સત્યતાથી કરેલી માનવી અને પોતાની અનાદિકાલની દુર્ગંધ પણત્યારેજ દુર થયેલી જાણવી, વળી વિશેષ ખુબી તો એ દેખવાની છે કે લગાર માત્ર ધૂપના કકડાને લઈ ઠેઠ પરમાત્માની મૂર્તિ સુધીમાં નજીક લઈ તે કકડો બળવાથી થયેલી રખ્યા પરમાત્માના ઉપર નાંખી કેવલ આશાતના કરતા અત્યારે ઘણા ખરા જૈનો જોવામાં આવે છે. માટે તે બાંધવો ! મૂળ ગભારામાં ખુલ્લે મુખે બૂમ મારવી બંધ કરો તથા મુખ તેમજ નાસિકાના શ્વાસોશ્વાસને વસ્ત્રના છેડા વડે કરી રોકો તથા ધૂપ પણ સારો સુંગધીદાર વિશેષ રાખી પરમાત્માની નજદીકનો ભાગ છોડી દુર ઉભા રહી ધૂપને ઉખેવો કે તેમ કરવાથી ઘણા કર્મોને ક્ષણવારમાં નાશ કરવા શક્તિવંત થાઓ સુગંધિ ધૂપ તે જ ઈહલોક પરલોકમાં ઉત્તમ પ્રકારની સામગ્રીને સૂચવનાર છે તેમ શાસ્ત્રકાર મહારાજા કથન કરે છે. સિદ્ધાંતે - मयणाभिचंदणागरु, कप्पुर सुअंधगंध धूवेहिं । पूअइ जो जिणचंदं पुइज्जइ सो सुरिंदेहिं ભાવાર્થ :- કસ્તુરી તથા ચંદન તથા અગર તથા કપૂર તેમજ વિશેષ પ્રકારના સુગંધિદાર ગંધ ધૂપ વડે કરી જે ભવ્ય જિનેશ્વર મહારાજની પૂજા કરે છે. તે સુરેંદ્રના સમૂહ વડે કરી પૂજાને સમર્થમાન થાય છે. (૪3 ૪3. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy