SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કરી કપાટને પ્રમાર્જન કરી, પવિત્ર જલથી અભિસિંચન કરી, સુંગધી પુષ્પમાળા અલંકારાદિક વડે અર્ચન કરી, ધૂપ કરી, બહુ ફળો મૂકી બોલે છે કે – “જો હું સત્યતાથી ભવ્યજીવ અને સમ્યકૂદષ્ટિ હોઉં તો આ જિન મંદિરના બારણા જલદીથી ઉઘડી જાઓ.' એમ બોલતાની સાથે જ જિનેશ્વર મહારાજના મંદિરના બારણા ઉઘડી ગયાં.પ્રતિમા દેખવાથી નમો જિનેભ્યઃ એમ બોલી ખેચરોએ વિધિથી પ્રતિમાને પૂજી બન્નેને હર્ષ થયો વસુદેવે પણ બાલચંદ્રા વિદ્યાધરીના સાથે ઘરે આવ્યો એવી રીતે જિનેશ્વર મહારાજની આજ્ઞાનું પ્રતિપાલન કરવાથી લાભ મેળવ્યો, તેવી જ રીતે ભવ્યાત્મા જીવોએ ભાવથી ચૈત્યવંદનાદિક તથા પ્રદક્ષિણાદિક કરીને પરમાત્માનું દ્રવ્ય ભાવ એમ બે પ્રકારે પૂજન કરવું જોઈએ તથા જે ભવ્ય જીવો તે પ્રમાણે વર્તમાન કાળમાં કરે છે અને ભવિષ્યકાળમાં કરશે તે સંસારસાગરનો પાર વહેલો પામીને મુક્તિના સુખનો ભોક્તા થશે. ઇતિ વસુદેવ દૃષ્ટાંત परमात्मानी पूजा करनाराओए प्रथम देहशुद्धि करवानी હરજ્ઞ | પરમાત્માની પૂજા કરવા તત્પર થયેલા ભવ્ય જીવોએ પ્રથમ દેહ શુદ્ધિ કરવી જોઇએ કારણ કે દેહશુદ્ધિ કર્યા સિવાય અર્થાત્ પ્રાસુક કલ્પનીય શુદ્ધ પાણી વડે કરી દેહનું પ્રક્ષાલન કર્યા સિવાય વીતરાગ મહારાજને સ્પર્શ સરીખો પણ થઈ શકે નહિ. બાહ્ય થકી પાણીથી સ્નાન કરી પૂજા કરનારા ઘણા જ જોવામાં આવે છે પરંતુ તેને વિષે પણ મુખ્ય વૃત્તિથી વિવેકની ઘણી જ ખામી જોવામાં આવે છે. માટે વિવેકસહિત સ્નાન કરવું તેજ શ્રેયસ્કર છે. M૩૭ 39 ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy