SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ હોય છે. દ્રવ્ય અર્ચનથી ભાવ અર્ચન પ્રધાન કહેલ છે જે માટે કહ્યું છે કે : कंचणमणि सोपाणे, थंभसयसहसभूसिअ सुवण्णतले । जो कारिअ जिणहरे, तउवि तवसंजमो अधिओ ॥१॥ | ભાવાર્થ :- જે કોઈ માણસ સોનાના તથા મહિના જેને વિષે પગથીયા છે, એવું અને લાખો થાંભલા વડે કરીને સુશોભિત જેનું સુવર્ણ તલ છે, એવું જિનેશ્વર મહારાજનું મંદિર કરાવે તેના કરતાં તપ સંયમને અધિક કહેલ છે. तव संजमेण बहुभवसमज्जियं पावकम्मललेवं । निरोविऊण अइरा, अणंत सोक्खं वए मोक्खं ॥२॥ ભાવાર્થ :- તપ સંયમનું આરાધના કરીને ઘણા ભવને વિષે ઉપાર્જન કરેલ પાપકર્મ રૂપી મળના લેપને સર્વથા પ્રકારે ધોઈ નાખીને થોડા જ કાળમાં અનંત સુખવાલા મોક્ષ પ્રત્યે ગમન કરે છે. જે પરમાત્માના પૂજનને નથી કરતો તેને માટે કહે છે – जे पुण निरच्चणोच्चिअ, सरीरसुहकच्चमित्त तल्लिच्छो । तस्स न य बोहिलाभो, न सोग्गइ नेव परलोगो ॥१॥ ભાવાર્થ :- વળી જે માણસ પરમાત્માની પૂજા કરતો નથી અને શરીરના સુખના તલાલનપણાને ધારણ કરે છે, તેને બોધીબીજનો લાભ થતો નથી, તેમ જ તેને સદ્ગતિ પ્રાપ્ત થતી નથી, તેમ જ પરલોકે મનુષ્ય જન્મપણ મેળવતો નથી. કેવળ નરક તિર્યંચ અને નિગોદમાં જ તે ભ્રમણ કરે છે. - રાજાઓએ, નરેંદ્રોએ,દેવોએ,દેવેન્દ્રોએ, પૂજેલા જિનચૈત્યોની રાગાદિકને જીતનાર હોવાથી જિન કહેવાય છે. તેના ચૈત્યો એટલે ચિત્તને પ્રમોદ ઉત્પન્ન કરનાર બિંબ (પ્રતિમા,) તેમની ગંધ, ધૂપ, પુષ્પ, - ૩૪) , Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy