SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ અશરણદીન દુઃખી છું, સાથેના લોકો મને મૂકીને ચાલ્યા ગયા. તેણે કહ્યું કે જયાં સુધી સમુદ્રને પાર ન પામે ત્યાં સુધી મહારે ઘરે જમવું, તેની સાથે વહાણમાં જાય છે. એક દિવસ ચિંતામણી યાદ આવે છે, ને પૂર્ણિમાનો ચંદ્રમાં પણ ઉદય પામેલ છે. ઉંચું નીચું જોતા રત્નને પવન પ્રેરિત સમુદ્રની અંદર પડેલ દેખી પોતે પાછળ પડવા માંડયો. લોકોએ તેને ધારણ કરી રાખ્યો, વૃત્તાંત પુછવાથી આંસુને પાડતો તમામ કહેવા લાગ્યો ને બોલ્યો બહુ કલેશ વડે પ્રાપ્ત કરેલ ચિંતામણી રત્ન હું પ્રમાદથી હારી ગયો.' લોકોએ કહ્યું કે ‘હે ભોળા ! સમુદ્રમાં પડી ગયેલું રત્ન કેમ મળે ? આ પ્રમાણે ભયક્રમક અત્યંત દુઃખી થયો. એવી રીતે મનુપ્ જન્મ પામીને હારી જવાથી ફરીથી તેની પ્રાપ્તિ થવી દુર્લભ છે. કદાચ દેવની કૃપાથી ચિંતામણી રત્ન કદીપાછું મળે, પરંતુ મનુષ્ય જન્મની ફરીથી પ્રાપ્તિ થવી દુર્લભ છે. જેમ વિધિ યુક્ત પુજન કરવાથી ચિંતામણી રત્ન સફલ થાય છે. તેમ માનવ ભવ પણ વિધિ સહિત ક્રિયાથી સફળ થાય છે તે અર્ચન બે પ્રકારનું છે. ૧ દ્ર, ૨ ભાવ માટે મહાનિશિથ સૂત્રમાં કહેલું છે કે - ne दव्वच्चणिह सावय, सीलं सक्कार पूअ दाणाइ । भावच्चणं चरित्ताणुठाणं उग्गतवचरणं भावच्चणमुग्गावहारयाय, दव्वच्चणं तु जिणपूया । पढमाजइण दुन्नवि, गिहीणपढमच्चिय अपसत्था TIRII ભાવાર્થ :- શીયલ સત્કાર પૂજા તથાદાનાદિક દ્રવ્ય અર્ચના શ્રાવકને કહેલ છે, ચારિત્રાનુષ્ઠાન ઉગ્ર તપ ચરણરૂપ ભાવ અર્ચન સાધુઓને કહેલ છે, ભાવઅર્ચનઉગ્રવિહાર રૂપ છે અને દ્રવ્ય અર્ચન જિન પૂજન કરવા રૂપ છે, પ્રથમ ભાવ અર્ચન મુનિઓને હોયછે, એને દ્રવ્ય અર્ચન તથા ભાવ અર્ચન શ્રાવકને હોયછે, પરંતુ પ્રથમ અર્ચન અપ્રશસ્ત Jain Education International 33 For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy