SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ દર્શન જ્ઞાન ચારિત્ર એ, રત્નત્રયી નિરધાર, ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવ દુઃખભંજનહાર. ૬ અનાદિ અનંત કાળથી આ આત્મા ભવભ્રમણ કર્યા કરે છે, તે ભવભ્રમણ નિવારવાને માટે હું ત્રણવાર પ્રદક્ષિણા કરું છું. ૧ ભમતીમાં ભમવા થકી ભવની ભાવઠ દૂરે પલાય છે, તેથી જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ ત્રણ પ્રદક્ષિણા દેવાય છે. ૨. જેના દર્શન કરવાથી જન્મ મરણાદિક સર્વ ભય દૂર ટળી જાય છે, પરંતુ કયારેક-દર્શનનું કામ સિદ્ધ થાય ત્યારે જ, તેની રત્નત્રયીને પ્રાપ્ત કરવા માટે જિનેશ્વર મહારાજના તમે દર્શન કરો. ૩. આ સંસારમાં જ્ઞાન મહાન છે. અને જ્ઞાનપરમ સુખના હેતુભૂત છે. જ્ઞાનની પ્રાપ્તિ વિના જગતના જીવો તત્ત્વના સંકેતને પામી શકતા નથી. ૪. હવે શાસ્ત્રકાર મહારાજા ચારિત્ર શબ્દનો અર્થ કરી દેખાડે છે, ચયએટલે કર્મનો સંચય (સમૂહ) તેને રિ કહેતાં રિક્ત કરે એટલે ખાલી કરે અર્થાત્ કર્મના સમૂહને હણી નાખે એવું જે ચારિત્ર નિર્યુકિતમાં કહેલું છે, તે ગુણના ઘર સમાન ચારિત્રને તમે વંદન કરો. ૫. એ જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપી નિશ્ચય ત્રણ રત્નો કહેવાય છે અને ત્રણ પ્રદક્ષિણા તે કારણથી દેવાય છે અને તે ભવના દુ:ખને ભંજન કરનાર છે. અર્થાત્ પરમાત્માને ત્રણ વાર પ્રદક્ષિણા દેવાથી નિર્મલ, જ્ઞાન, દર્શન ચારિત્રરૂપી ત્રણ રત્નની પ્રાપ્તિ થાય છે અને તે ત્રણે રત્નો પ્રાપ્ત થયા પછી તત્કાલ ભવોનો ભય નાશ થઈ જાય છે, અર્થાત્ શીવ્રતાથી મુક્તિ મળી જાય છે, માટે તમામ ભવ્ય જીઓએ નિરંતર પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરવા ચુકવું નહિ. ત્રણ પ્રદક્ષિણા ઉપર વસુદેવનું દટાંત આO હવે ત્રણ પ્રદક્ષિણાનું વ્યાખ્યાન કરે છે. જે ત્રણ પ્રદક્ષિણા દે છે, તે સંસારને વિષે પરિભ્રમણ કરતા નથી. વિજયદેવે ત્રણ પ્રદક્ષિણા દીધી ( ૩૦૦ 30 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy