SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ છે, તેનું વ્યાખ્યા ત્રીજા ઉપાંગને વિષે જીવાભિગમ વિવરણમાં શ્રીહરિભદ્રસૂરીએ વ્યાખ્યાન કરેલ છે. બાલચંદ્રા વિદ્યાધરીએ વૈતાઢય ઉપર સિદ્ધાયતને વિષે ત્રણ પ્રદક્ષિણા આપી છે. આ સર્વ વસુદેવ હીંડીને વિષે કહેલું છે તેમાં ઇહાં હરિકુટનો સંબંધ કહે છે. વૈતાઢ્ય પર્વત ઉપર વસુદેવ વસતો હતો. તે વખતે બાલચંદ્રા વિદ્યાધરી સ્ત્રીના સાથે રૂષભખેચર ગ્રહથી હરિકુટ પર્વત ઉપર ક્રીડા કરવા આવ્યો. ત્યાં મદન ખેચર નામના મિત્રને પૂછે છે કે - “શા નિમિત્તે અહિં ખેચર ખેચરીઓ આવજા કરે છે?” તે સાંભળી મદન કહે છે કે “ સ્વામિન્ ! અહિં અંબર તિલક નગરમાં દક્ષિણ શ્રેણિને વિષે વિદ્યાધરનો ચક્રવર્તિ ચિત્રવેગ પૂર્વે હતો. તેનો નાનો ભાઈ વિચિત્રવેગ હતો, તેનું અપરનામ હરિ હતું. એકદા વિમલગુપ્ત આચાર્ય પાસે લઘુભાઈ ઉપદેશ સાંભળે છે. તેને ગુરૂ કહે છે કે, ચિંતામણિ રત્નની પેઠે બહુ કલેશે કરી પ્રાપ્ત થયેલ માનવભવને હારીને જીવો ફરીથી પરિભ્રમણ કરે છે. તે ઉપર ભયદ્રમકનું દૃષ્ટાંત છે. રત્નપુરને વિષે ભયદ્રમક દુઃખી હતો. તે ગર્ભમાં આવ્યો ત્યારે પિતા મરણ પામ્યો અને ઉત્પન્ન થયો કે તુરત માતા મરણ પામી. દયાથી સજ્જનોએ તેનું પાલન કર્યું. ક્રમે તે યુવાન અવસ્થા પામ્યો. નગરના લોકોને ક્રિડાના વિષે તત્પર દેખી મારા જીવિતને ધિક્કાર છે. એમ તે ચિંતવના કરે છે. પૈસા વિના વિષયાદિકની પ્રાપ્તિ ન થાય તેથી તે વહાણમાં ચડ્યો અને સાર્થની સાથે રત્નદીપે ગયો ત્યાં તે ઉપરથી નીચે પડ્યો, ભૂમિએ ગ્રહણ કર્યો. તે ચિંતવે છે કે મારૂ કોઈ શરણું નથી. પછી રોહણાચળે ગયો, કોદાળી લઈને કમ્મરબાંધીને છૂટા કેશવાળા રત્નની ખાણને ખોદે છે. રત્ન નિકળ્યા છતાં અભાગ્યોદયથી વિચાર કરે છે કે-મારા દારિદ્રયને દુર કરનાર અક્ષયનિધિ ચિંતામણી રત્ન વિના મને કંઈ લાભ થવાનો નથી, માટે બીજા રત્ન ગ્રહણ કરવાથી શું ? એમ ૩૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy