SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કાળ નિરતિચારપણે ગાળ્યો, એકદા કર્મના યોગે ચૈત્યવંદન અવિધિથી કરે છે. જિનમંદિરમાં પ્રદક્ષિણા દેતાં વાર્તા કરે છે તે ચૈત્યવંદનને વિષે બીજુ ધ્યાન કરે છે એકદા વળી તેજ મુનિ મહારાજ આવ્યા, તેને વાંદવા ગઈ રસ્તામાં વિદ્યાઘરનાં જોડલાને દેખી તેના રૂપથી મોહિત થઈ, રાગવાળી થઈ, તેનું જ ધ્યાન કરતી વ્યાખ્યાન સાંભળી ઘરે આવી તેની આલોચના કર્યા વિના તું કમકશ્રી થઈને પિતા ભાઈની વિયોગિની થઈ જે માટે કહ્યું છે કે – जह चेव मुक्खफला, आणा आराहिआजिणिंदाणं । संसारदुःखफलिआ, तह चेव विराहिआ होइ ॥१॥ ભાવાર્થ :- જે માટે કહ્યું છે કે જિનેશ્વર મહારાજની આજ્ઞાનું આરાધના કરવાથી મોક્ષ ફળને આપનારી થાય છે, તથા ભગવાનની આશાની વિરાધના કરવાથી સંસારના પરિભ્રમણ રૂપ દુખને આપવાવાળી થાય છે. માટે ભગવાનની આજ્ઞા પાળવી. એ સાંભળી કનકશ્રી વિચાર કરે છે કે પોતે કરેલ અલ્પ કર્મથી પણ મહાન દુઃખ થાય છે માટે સંસાર ભોગથી સર્યું, હવે હું દીક્ષા લઉં તેણીએ દીક્ષા લેવાની રજા માગી પણ આપી નહિ બન્ને ભાઈઓ તેને લઈ પોતાને નગર ગયા. અનુક્રમે વિમલનાથ પાસે દીક્ષા લઈ કનકશ્રી, મોક્ષે ગઈ. આ ઉપરોક્ત શ્રી કનકશ્રીનું દ્રષ્ટાંત વાંચી તમામ ભવ્યાત્મા જીવોએ વિધિ સહિત ચૈત્યવંદન કરવું, કે જેથી કરીને અલ્પ કાળમાં સંસારનો અંત થઈ અનંતુ મોક્ષ સુખ મળે. આ ૨૮ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy