SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ (૪) સંયમમાં વીર્ય, તે ચારને મેળવીને ભવ્યજીવોએ મુક્તિ મેળવવા શીઘ્રતાથી ઉજમાળ થવું. તે વખતે કનકશ્રીએ કેવળી મહારાજને પૂછ્યું કે હે નાથ ! મે શું પૂર્વે પાપ કર્યું કે હું માતા, પિતા, ભાઈની વિરહિણી થઈ ” જ્ઞાની કહે છે કે – “ઘાતકીખંડને વિષે પૂર્વભવમાં શંખપુરનગરમાં શ્રીદત્તા જન્મથી દરિદ્ર હતી બાલ્યવયમાં તેના માતા પિતા મરણને શરણ થયા. પર ઘરમાં તે ધંધો કરી ઉદર પોષણ કરે છે. એકદા પરમાં ઘર પણ કામ ના મળ્યું, તેથી વગડાના વિષે લાકડા લેવા ગઈ ત્યાં પર્વત ઉપર સત્યયશ મુનિને દેખ્યા. તેને વંદન કરી કહે છે કે - “જન્મથી ઉદરપુરણ કરવાને પણ હું મંદ ભાગી છું, માટે મને તેવા પ્રકારનો ધર્મોપદેશ આપો કે હું આવું દુઃખ પરભવે ન પામું.” તે મુનિએ તેના યોગ્ય ધર્મ ચક્રવાલ તપ બતાવ્યું. નિરંતર ચૈત્યવંદન કરવું, પરંતુ વિધિ વડે કરવું, પણ અવિધિથી નહીં જો અવિધિથી કરશો તો વિષ મિશ્રિત અન્નનાં પેઠે દોષિત થશે શ્રીદત્તાએ હું એમજ કરીશ એમ કહી ઘરે ગઈ વિધિવડે કરી દેવોને નમસ્કાર કરી સારે મૂહુર્ત તપ શરૂ કર્યો તેમાં પ્રથમ અઠ્ઠમ બે કર્યા પછી છઠ્ઠ ૨૭ કર્યા તેના પ્રભાવથી સાધર્મિકના ઘરે પારણાદિક તથા ભોજનને પામે છે તપ અને ચૈત્યવંદન રંજીત લોકો સારા સારા વસ્ત્રાદિક આપે છે તેથી તેનું દ્રારિદ્રય દૂર થયું. એકદા તપનું ઉજમણું ન થયું એવો વિચાર કરે છે તેટલામાં ઘરની ભીંતમાંથી એક ભાગેથી દ્રવ્યની પોટલી પડી ઘણું દ્રવ્ય નીકળ્યું તે દ્રવ્ય વડે કરી ઉજમણામાં ચાંદીનું ધર્મચક્ર દેરાસરમાં મૂકયું તપના પારણાના દિવસે દિશાનું અવલોકન કરતાં માસક્ષમણને પારણે દુર્બળ અંગવાળા મુનિમહારાજ સુવ્રત નામના આવ્યા ત્યારે હર્ષના આંસુ પૂર્ણ હૃદયવાળી શ્રીદત્તાએ પાડેલા. તથા પોતાના આત્માને ધન્ય માની બાકી રહેલ ભોજન પોતે કર્યું, સુવ્રત સાધુ પાસે લીધેલ શ્રાવક ધર્મનું પ્રતિપાલન કરી કેટલોક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy