SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પરણી.અનંતવીર્ય વાસુદેવ કહે છે કે – “હે સુભગે ! ચાલ આપણે શોભાપુર જઈએ.” તેણીએ કહ્યું કે- સ્વામિન્ ! મારો પિતા વિદ્યાધરનો સ્વામિ પાછળ આવશે. તો આપણે બન્નેને હણશે તેથી મારા નિમિત્તે અનર્થ થશે.” તેણે કહ્યું કે- તું ભય ન પામ, અમારા પાસે તારો પિતા કોણ ગણત્રી માત્ર છે. એવી રીતે પ્રજ્ઞપ્તિ વિદ્યાના બલથી વિમાન રચી તેમાં બેસી સભા વચ્ચે આકાશમાં રહીને બોલ્યો કે-“એ ! હે ! સાંભળો ! અનંતવીર્ય પોતાના ભાઈના સાથે આવી કનકશ્રીને લઈ જાય છે. માટે પાછળથી બોલશો નહિ કે આ ચોરી કરીને લઈ ગયો.' એમ કહી ચાલ્યો, તુરત દપિતારીએ ભેરી વગડાવી, સૈન્ય લઈ પાછળ ગયો, તેવામાં તે બંને ના રહ્યા, રણસંગ્રામ થયો, સર્વશસ્ત્ર અનંતર ચક્ર મૂકયું. અનંતવી હાથના પ્રહારથી હણેલા ચકે દમિતારીનું મસ્તક લાવી અનંતવીર્યના હા માં આપ્યું. તેના ઉપર પુષ્પની વૃષ્ટિ થઈને વાસુદેવ પ્રગટ થયો, તેમ દ્યોષણા કરી, માર્ગે જતાં કનકગિરિ સમીપે ગયા. ત્યાં ખેચરોએ ક કે - “સ્વામિન્ ! તમે ભગવાનની આશાતના ન કરો, કારણ કે જિનેર મહારાજને વંદના નમસ્કાર કરી પૂજા કરી પછી આગળ જવું જોઇએ તેથી અનંતવીર્ય વિગેરે પ્રદક્ષિણા કરી ચૈત્યવંદન કરી જેવા બહાર નીકળે છે. તેવામાં એક વર્ષ સુધી કાયોત્સર્ગને વિષે * કાર્તિધર મહારાજને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તેથી તુષ્ટમાન થઈ પ્રદક્ષિણા કરી વંદન કરી, આગળ બેઠા કેવલી મહારાજે દેશના આપીइह निव्वुइ परमंगाणि, जंतुणो दुल्हाणि चत्तारि । मणुअतं धम्मसुइ, सद्धा संजमंमि विरियं ॥१॥ ભાવાર્થ :- આ લોકને વિષે પ્રાણીઓને મોક્ષના ચાર પરમ અંગો અત્યંત દુર્લભ હોય છે. (૧) મનુષ્યપણું, (૨) ધર્મશ્રવણ, (૩) શ્રદ્ધા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy