SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ બોલી દીપકની છાયામાં લીન થઈ ગયો,તેથી હરિચંદ્ર વિચાર કરે છે કે, શું આ દિવ્યપુરૂષ છે ? અગર સ્વપ્ર છે ? એવો વિચાર કરી શપ્યાની અંદર બેસી અર્ધ બેઠેલી જયસુંદરીને ઓશીકા આગળ પડી રહેવાનું કીધું ત્યાં રાત્રિ વહન કરી પ્રાત:કાળે જયસુંદરીને પુછયા સિવાય પોતાને નગરે ચાલ્યો ગયો. પ્રભાતે પુછવાથી સખીઓને રાત્રિનો વૃત્તાંત કહ્યો, ત્યાર બાદ માતાપિતાએ તેને બહુ જોયો પણ જમાઇને દેખ્યો નહિ, તેથી સંજાતનિર્વેદા મહા શોક સમુદ્રને વિષે મગ્ન થઈ, અને અતિશય જ્ઞાની આચાર્ય-મહારાજ પાસેથી પોતાનો પૂર્વ ભવ સાંભળી જાતિ સ્મરણ પામી, અને જન્મ જરા મરણનો રોગશોક આધિ વ્યાધિ વેદના પ્રિય વિયોગ ઇસિત લાભ દારિદ્રય દૌર્ભાગ્ય દુર્મન સ્વવધ બંધનાદિ અસમાધિ મરણાદિ સમસ્ત દુઃખને નિર્મૂલ કરવામાં સમર્થ એવો ધર્મ સાંભળી દીક્ષા લીધી. દીક્ષા લઈને સાધ્વીના સાથે વિહાર કરવા લાગી, ભણવા લાગી, ઉત્તમ પ્રકારની ભાવના વડે કરી સંયમ પાળવા લાગી. ત્યારબાદ પૂર્વ ભવની ભોજાઇયો લલિતા અને સુંદરી સ્વર્ગથી ચ્યવીને કૌશલ દેશે અમરાવતી પુરે શ્રીધન શ્રેષ્ઠીની શ્રીમતિ અને ઘુમતિ પુત્રીપણે ઉત્પન્ન થઈ. અનુક્રમે હરિચંદ્ર અને મિત્રચંદ્ર તેનું પાણિગ્રહણ કર્યું. ચંપામાં વિષય સુખોને વિષે મગ્ન થયાં. અન્યદા પ્રસ્તાવેપ્રવર્તની સાથે વિહાર કરતી જયસુંદરી સાધ્વી ચંપામાં આવી, ત્યાં તેને વંદન કરવા ઘણા લોકો આવ્યા, તેઓને ધર્મોપદેશ આપ્યો, ત્યાં જ ચોમાસુ રહ્યા, અન્યદા પૂર્વભવની ભોજાઇયો શ્રીમતિ અને ઘુમતિને જયસુંદરી સાધ્વીને દેખવાથી પૂર્વભવ સંબંધી સ્નેહ ઉત્પન્ન થયો.એવી રીતે તે બન્ને જણીયોએ પ્રાર્થના કરવાથી જયસુંદરી સાધ્વી નિરંતર તેને ઘરે જાય છે. આવે છે અને ધર્મોપદેશ આપે છે. તે બન્ને જણીયોએ ધર્મ 3૬૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy