SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સાંભળવાથી સમ્યકત્વને પ્રાપ્ત કર્યું. અન્યદા શ્રીમતિના હાથમાં ઉત્તમ મોતીનો હાર છે, ને જયસુંદરી સાધવી આવી, તેથી હાથમાંથી હાર મુકીને ઓરડામાં સાધવીને પડિલાભવા ગઈ. આ અવસરે બીજું દુર્વચનનું ફળ પ્રગટ થયું, તેથી ઘરની અંદર વસનારા વ્યંતરને દ્વેષ થયો. તેણે ચિંતવના કરી કે સાધ્વીને અપયશ રૂપી ખાડામાં હું નાખું. ત્યારબાદ ભીંતરને વિષે ચિત્રોલ મોરે તે હાર ગળી લીધો. સાધ્વીએ દેખ્યો, ચિંતવના કરે છે કે આ અસંભવનીય શું ? કોઈક અશુભ કર્મનો ઉદય પ્રગટ થયો. પ્રવર્તની સાધ્વી પાસે આવી હારજોયો પણ જયો નહિ, ઉડાહના થઈ, દાસીયોને પૂછયું કે હાર ક્યાં ગયો,ઉત્તર આપ્યો કે સાધ્વી લઈ ગઈ શ્રીમતિ અને ઘુમતિએ દાસીઓનો તિરસ્કાર કર્યો, કે ખબરદાર જુઠું ન બોલો. બન્નેનું ચિત્ત સ્વસ્થ રહ્યું, સાધ્વી ઉપર બગડયું નહિ. તે વાત સાંભળી પ્રવર્તતી અને જયસુંદરી સાધ્વીને ઘુમતિએ આવી વંદન કરી કહ્યું કે, હે સ્વામિનિ ! અશુભ કર્મના ઉદયથી આવું કાર્ય થયેલું છે, પણ અમારા ચિત્તમાં કોઈ પણ પ્રકારે ફેરફાર નથી વળી અમારા પરિણામ પણ વિપરિત થયા નથી, પરંતુ જૈન શાસનની નિંદા થઈ છે. અન્યથા તમારે તૃણ મણિ અને કાંચન લોખ સમાન માનવાવાળા જીવોને ચિત્તની અંદર ઉગ શું કામ થાય ? માટે તમો ઘેર સાધ્વીને પ્રથમની જેમ નહિ મોકલો તો જૈનશાસનની નિંદા વધારે થશે, માટે જરૂર મોકલશો. પ્રવર્તનીએ માન્યુ ત્યારબાદ અત્યંત વૈરાગ્ય થવા વડે કરીને અને સંસારની ઘટમાળાને જાણતી, છઠ્ઠ, અઠ્ઠમ, આદિ મહાતપસ્યાને કરવા વડે કરીને ધ્યાન, સ્વાધ્યાય કરવા વડે કરીને પૂર્વ કર્મ રૂપી પર્વતને તારૂપી જલથી છેડતી ક્ષપક શ્રેણી ઉપર આરોહણ થઇ, કેવળજ્ઞાન પામી, નજીકમાં રહેલ વ્યતરદેવોએ કેવલજ્ઞાનનો મહિમા કર્યો, તે વ્યંતરનો 363 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy