SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભવિતવ્યા (સાડી સારી રાખવી) એવુ વચન સાંભળવાથી ભાઈને શંકા થઇ, તેથી શય્યા અવસરે શય્યામાં આવવાનો રોધ કર્યો, કારણ કે આણીએ આનું અસતી-પણું પ્રગટ કર્યું છે માટે સ્ત્રીઓની જે પૃથ શય્યા છે તે શસ્ત્રરહિત વધે છે, એમ જાણી રાત્રિ દુઃખે વહન કરી પ્રભાતે ધનશ્રીએ પુછવાથી રાત્રિ સંબંધી વાત કરી. તેણીએ પોતાના ભાઈને પૂછયું તેથી ઉત્તર મળ્યો કે તારા વચનથી, એટલે ધનશ્રીય કહો કે મેં તો રસોડામાં રાંધવાના ટાઈમે કહ્યું હતું આ કોઈ દિવસ અસતી નથી તેથી પાછો બન્નેને સંતોષ થયો.અન્યદા નાના ભાઈની ચિત્તની પરીક્ષા કરવા માટે તથૈવ કહ્યું કે હે સુંદરી ! હૃર્તન સુન્દ્રા ભવિતવ્યમ્ (હાથ સારા રાખવા) પૂર્વવત્ પ્રથમઅભાવ અને પછી ભાવ થયો. હવે વય વાળી થયા પછી ધનશ્રી ઘરની માલીકીવાળી થઇ. ૧૨ વર્ષ સુધી ઘરની સ્વામીની રહી. ત્યારે પાંચે જણાવે વૈરાગ્યથી દીક્ષા લીધી, અને પાંચ ભાઈઓ ત્યાંથી ચ્યવીને ચંપા નગરીમાં વિજયદેવ શ્રેષ્ઠીના હરિચંદ્ર, અને મિત્રચંદ્ર નામના પુત્રો થયા,અને ધનશ્રીનો જીવ કૌશાંબીનગરીમાં સમુદ્ર શ્રેષ્ઠીની પુત્રી જયસુંદરી નામે થઇ, અને અનુક્રમે યૌવન અવસ્થા પામી. ધનધર્મનો જીવ હરિચંદ્ર નામનો કૌશાંબી નગરીમાં વ્યાપારઅર્થે આવ્યો, તેણીએ નયનબાણથી વીંધેલા તેણે, માતા-પિતાએ તેને આપવાથી તેનું પાણિગ્રહણ કર્યું. ત્યાં તેણીના સાથે રહેવા લાગ્યો એકદા હરિચંદ્રને પોતાના પિતાનો પ્રસાદ પત્ર મળ્યો, તેથી ચંપાનગરીમાં ગયો, ત્યાં કેટલોક કાળ રહીને જયસુંદરીને લાવવાને માટે કૌશાંબીમાં આવ્યો. તેવા સમયમાં ક્રીડા-પ્રિય એક વ્યંતરે વિચાર કર્યો કે જયસુંદરીને સુખ ભોગ થકી ભ્રષ્ટ કરું એમ ચિંતવી પર પુરૂષનું રૂપ ધારણ કર તેના વાસભુવનમાં રહ્યો, અને હરિચંદ્ર આવ્યો એટલે કાંઈક અસ્પષ્ટ વચન M૩૬૧) 3૬૧ ~~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy