SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સો વાર વાતને પામે છે તથા કોઈપણ જીવને મારવાથી હજારવાર પોતાને મરણ પ્રાપ્ત થાય છે.પરને કલંક ચડાવવાથી સો વાર કલંક પોતાના ઉપર આવી પડે છે, તેમાં લેશ માત્ર સંદેહ નથી. પરના અવગુણબોલવા નહિ) છતા અગર અછતા પારકાના દોષો બોલવાથી અને સાંભળવાથી કાંઇપણ ગુણ થતો નથી. પરંતુ તેમને કહેનારના ઉપર વૈર વૃદ્ધિ થાય છે અને સાંભળનારને કુબુદ્ધિ થાય છે. અનાદિકાળથી અનાદિ દોષો વડે કરી વાસિત થયેલા આ જીવમાં જો કાંઇપણ ગુણની પ્રાપ્તિ થાય તો તે મહાનુભાવો ! તમે તેને આશ્ચર્ય માનો. ઘણા ગુણોવાળા તો વિરલા કોઇક હોય છે. પણ એક ગુણવાળો પણ જન સમુદાય સર્વ જગ્યાએ મળવો મુશ્કેલ છે. નિર્દોષી માણસોનું પણ સારૂ થશે અને થોડા દોષોવાળા જીવોની પણ અમે પ્રશંસા કરીએ છીએ. પરાપવાદ મર્મ પ્રકાશ ન Wવો અભ્યાખ્યાન ઉપર દષ્ટાંત કૌશાંબી નગરીમાં વીરસેન રાજા હતો. ત્યાં અશોક શ્રેષ્ઠીને ધનધર્મ અને ધનદેવ નામના બે પુત્રો છે, તેની બેન ધનશ્રી છે, તે કર્મના યોગે બાળ વિધવા છે, અન્ય ભોગવાળી સ્ત્રીના વિષય સુખોને દેખીને આત્માની નિંદા કરતી તેણી દીક્ષા લેવા તત્પર થઇ, પણ ભાઈઓએ ના પાડવાથી દાનાદિક ધર્મ કર્મને કરતી સુખેથી રહે છે. એક દિવસ પોતાના ભાઈઓના ચિત્તની પરીક્ષા માટે, લલિતા નામની ભોજાઈને ધર્મોપદેશની કથાને છેડે કહ્યું કે, સાટીકા સુસ્તી 360 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy