SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પોતાના માણસોને નિર્વાહ કરવા યોગ્ય ધાન્ય તથા પૈસાને દેખીને તે પ્રમાણે પોતાના પરિવારનો નિર્વાહ કરવા લાગ્યો. ત્યારબાદ કેટલેક દિવસે તેની સ્ત્રીના મોઢેથી પાડોશીની સ્ત્રીએ તે વાત જાણી, તેથી તેણીયે પણ પોતાના પતિનેયક્ષને ત્યાં મોકલ્યો તે બ્રાહ્મણ વનમાં જઇ, જેવો કુહાડાથી યક્ષની મૂર્તિ ઉપર ઘા કરવા જાય છે, તેવો જ યક્ષે તેને ઉંચા હાથે ને પગે થંભાવી દીધા તથા તેને પેટ નેત્રમાં પીડા કરીને તિરસ્કાર વડે કરી યક્ષ તેને કહેવા લાગ્યો રે દુષ્ટ મહારી અવજ્ઞાનું ફળ ભોગવ. હાલમાં જ હું તમને પરમાધામીને ત્યાં પહોંચાડી દઉં છું. એવા પ્રકારનાં યક્ષનાં વચનને સાંભળી, જેના નેત્ર ભમે છે, અને શરીર જેનું કંપે છે એવો તે બ્રાહ્મણ કહેવા લાગ્યો કે “હે દેવ ! તું જે કહે તે કરું. પરંતુ જીવતો છોડી દે. ત્યારે તેના વચન સાંભળી યક્ષ તેને કહે છે કે તારે ઘરે ભેંસનું ઘી જેટલું તૈયાર થાય તે બધું ધી વહારે લખુ અન્ન ખાનાર કૃપણ બ્રાહ્મણને નિરન્તર આપી દેવું એટલું કહી યક્ષ તેને સજ્જ કરી ચાલ્યો ગયો. તે બ્રાહ્મણ પણ ઘરે આવી નિરન્તર તેમ કરવા લાગ્યો. તેથી લોકો તે નિભંગી બ્રાહ્મણને ઉદ્દેશીને નીચે પ્રમાણે બોલવા લાગ્યો કે -- ઢોકલાં ખાતાં દેખીને, હોંસ થઈ મન માંહે, લેઈ કુહાડો વન ગયો, સુરે થંભ્યો ત્યાંહે. ૧ વનિતા સુરસું વિનવી, ઘણી કચપચીકીય, ઢોકલ તો પામ્યો નહિ ઘરનું ચૂકયો ઘાય. ૨ માટે લોભ છોડી ધર્મ માર્ગે ઘનનો વ્યય કરવો, કૃપણતા કરવાથી લક્ષ્મીનો નાશ અને દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. O ( અનુરાગ ઉપર રણમલ ક્યા ) ભીમપુર નગરને વિષે કોઈ રણમલ્લ નામનો યુવાવસ્થાવાળો M૩૩૨ ~ 332 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy