SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થવાથી સ્ત્રીઓ ખેદ પામી અરસપરસ બોલવા લાગી કે કોઈ પણ કારણથી આજે લાકડું બહુ ભારવાળું થયું છે. માટે આજે દરિયામાં મુકી દઈ બીજું ભારવાળું ન હોય તે લાકડું લઈને આપણે જલ્દી ઘરે જઈએ તેવું સાંભળી ભય પામેલો સાગર શેઠ બોલ્યો કે “તમે આ લાકડાને મૂકશો નહિ હું તમારો સસરો અંદર છું. એવું સાંભળી આ પાપ એની મેળે જ જાય છે, એવો વિચાર કરીને સર્પ વાળા ઘડાની પેઠે તે લાકડું દરિયામાં મૂકી દીધું, અને બીજા લાકડા ઉપર બેસી ઘેર પહોંચી ત્યારબાદ તે લાકડાના સાથે જ સાગર શ્રેષ્ઠીદરિયામાં ડૂબી જઈ દૂતિ ગામી થયો અને તેના છોકરાની વહુઓ પણ તેના સસરાના મરવાથી ત્યાગ ભોગવડે કરી સુખી થઈ પોતાના દિવસોને નિર્ગમન કરવા લાગી, માટે અત્યંત લોભને પાપનું મૂળ જાણીને જીવોએ લોભને ઓછો કરવા ઉદ્યમ કરવો. લોભ ઉપર બ્રાહ્મણની ક્યા છે પાલી ગામને વિષે જન્મથી દરિદ્રી કૃપણ નામનો બ્રાહ્મણ હતો. તે એકદા સ્ત્રીએ પ્રેરણા કરવાથી કુહાડો લઇને લાકડાં કાપવા માટે, કપિલ નામના યક્ષના સ્થાને શોભિત કરેલા વન પ્રત્યે ગયો. તે વનમાં બાળવા યોગ્ય લાકડુ નહિ મળવાથી, એવામાં કાષ્ટમયી યક્ષની મૂર્તિને કુહાડાથી ખંડોખંડ કરવામાં તત્પર થયો. તેવામાં પૂર્વ ભવના પુન્યોદયથી તે યક્ષ પ્રત્યક્ષ થઇને કહેવા લાગ્યો કે હે ભદ્ર ! તું મારી મૂર્તિ ખંડનન કર, હું તુષ્ટમાન થયેલો છું. તારે જે જોઇએ તે માગી લે, ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હું ભુખ્યો છું. માટે માહરા ઘરમાં જેટલા માણસો છે તેના ઉપર પોષણ જેટલું ધાન્ય ઢોકળાદિ વસ્તુઓને નિરન્તર તું મને આપ યક્ષ તે આપવાનું કબૂલ કરી અંતર્લીન થઇ ગયો. ત્યારબાદ બ્રાહ્મણ પણ પોતાના એક ઘરના ખુણાને વિષે બ33૧ ~ 333 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy