SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રહી ત્યારે પોતાને ઘરે પહોંચી આવી રીતે નિરંતર મંત્રના બળે ગમન કરનારી તે સ્ત્રીયોના ચારિત્રને કોઈયે જાણ્યું નહિ. અન્યદા મુખ્ય નોકરે લાકડાનું ઠેકાણું ફેરવેલું દેખીને તેમજ મધ્યભાગે છિદ્ર હોવાથી તેને દેખીને આશ્ચર્ય સાથે વિચાર કર્યો કે કાંઈક નવીન છે. એવો વિચાર કરી રાત્રિયે તે લાકડાના છિદ્રમાં પેસી ગયો. ત્યારબાદ પ્રથમના પેઠે તે ચારે જણીયો લાકડાના ઉપર બેસી સુવર્ણદ્વીપે પહોંચી. ત્યારબાદ નોકરે તેમાંથી બહાર નીકળી સોનાની ઇંટો લીધી, અને લાકડાની પોલમાં પાછો સંતાઈ ગયો, હવે તે સ્ત્રીયો પણ કૃતકૃત્ય થઈને રાત્રિને છેડે લાકડા ઉપર બેસીને પોતાને ઘરે આવી. ઘેર આવીને નોકરી પણ નિદ્રાથી સૂઈ ગયો. પ્રાતઃકાળને વિષે શેઠે બોલાવ્યા છતાં પણ સુવર્ણની પ્રાપ્તિથી તેણે જવાબ આપ્યો નહિ, તેથી શું આને અકસ્માત પૈસાની પ્રાપ્તિથી અભિમાન થયેલ છે અગર ઘરના કોઈપણ માણસે ક્રોધિત કરેલ છે કે બોલાવવા છતાં પણ બોલતો નથી, એવું ચિંતવન કરી માયાવી શ્રેષ્ઠીયે માયા કપટ વડે કરીને અશ્રુપૂર્ણ નેત્ર કરી ગદ્ગદ્ સ્વરે તેને કહ્યું “કેમ આજ તું દુભાયેલો છે? એમ કહી સારું ભોજન કરાવવાથી તેણે રાત્રિનું સ્ત્રીયોનું ચરિત્ર કહ્યું અને સોનાની ઇંટ દેખાડી, તેથી સાગર શ્રેષ્ઠી સૂર્યને કહે છે. કે “હે ભગવન્ ! તું જલ્દી અસ્ત થઇજા એટલે હુંવધુઓના ચરિત્રને દેખું' અને સોનાની ઇંટોના ઢગલાઓ લાવું, ત્યારબાદ રાત્રિને વિષે પોપટના પેઠે તે લાકડાની અંદર પેસી ગયો, અને તે મલિન ચિત્તવાળાએ તેઓનું ચરિત્ર દેખ્યું અને લાકડાનું છિદ્ર સોનાની ઇંટોથી ભર્યું અને જેમ તેમ કરી પોતે અંદર પેઠો, વળી દ્રવ્ય પ્રાપ્ત થવાનું કારણ હાથમાં આવવાથી બહુ જ હર્ષ પામ્યો. ત્યારબાદ સ્ત્રીઓ તે લાકડા ઉપર બેસીને ચાલવા માંડી પરંતુ લાકડું બહુ જ ભારવાળું 330 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy