SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નીકલવાદેતો નહોતો તેમજ યાચક વર્ગને ઘરને વિષે પેસવાદેતો નહોતો, વળી તે અત્યંત કૃપણ છતાં પણ નિરંતર પાંચ દાનને આપતો હતો. તે પાંચ પ્રકારનાં જુદી જાતનાં દાનો આ પ્રમાણે આપતો હતો. ૧-કોઈ યાચના કરવા આવે તો પ્રથમ બારણાના કમાડને દેતો હતો, ૨ ત્યારબાદ ભોંગળ દેતો હતો, ૩ પછી કપાળે હાથ દેતો હતો, ૪ પછી કોડને નમાવી દેતો હતો, પ-ત્યારબાદ દુર્વાક્ય એટલે ગાળો દેતો હતો? આવો દાતાર વર્ણન કરવા લાયક કેમ ન બને? અર્થાત્ બને જ. વિધાતાએ રાજા, ચોર, કુબેર અને સંપત્તિવાળાના ઉપકાર માટે જ કૃપણ માણસોને ઉત્પન્ન કરેલ છે તે સત્ય છે. વળી કૃપણ વિના દાતાર પણ સ્વકાર્યની ગણત્રીની સિદ્ધિને ભજનારા થઈ શકતા નથી, કારણ કે રાત્રિ ન હોત તો દિવસની ગણત્રી કેવી રીતે થાત ? તે નગરમાં તેનું ઘર મ્લેચ્છના ઘરની પેઠે અસ્પૃશ્યતા તથા ચંડાળના કુવાની પેઠે ત્યાગ કરવા લાયક થયેલું હતું. એકદા દરવાજાના બારણા ઉપર શેઠ બેઠો હતો. તે વખતે કોઈક યોગિની આકાશ માર્ગે થઈ તેના ઘરને વિષે પેસી તે યોગિની સર્વ વિદ્યામાં વિશારદ હતી તેને દેખીને છોકરાની વહુઓએ સંભ્રમથી કહ્યું કે હે માત ! અમને તો કારાગૃહમાં નાખેલ છે, માટે હવે તો અમોને આપનું જ શરણ છે, માટે અમારા ઉપર કૃપા કરીને કોઈક એવો ઉપાય બતાવો કે હરવા ફરવા વડે કરીને અમો કાંઇક સંસારનું સ્વરૂપ દેખીયે તેના તેવા વિનયી વચનથી તુષ્ટમાન થઈને યોગિનીયે તે ચારેને કોઈપણ વસ્તુના આધારથી આકાશમાં ચાલવાની વિદ્યા આપી, અને યોગિની ચાલી ગઈ. ત્યારબાદ રાત્રિ પડવાથી ચાર જણીયો શૃંગાર સજીને હુંકાર શબ્દ વડે કરી લાકડા ઉપર બેસીને સુવર્ણ દ્વીપે ગઈ, અને ત્યાં ઈંદ્રાદિક દેવોને તથા રંભા આદિયે કરેલા નાટકાદિકને જોઇ, શેષરાત્રિ બાકી ૩૨૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy