SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ છે કે જે કર્મને કરવાથી હું દુર્ગતિને વિષે ગમન કરૂં નહિ. આવી રીતે પાંચસો ગાથા જ્ઞાની બોલ્યા તે ધ્રુવપદોને સાંભળીને પાંચસો ચોર લોકો પ્રતિબોધ પામ્યા. કેવળી મહારાજાએ તે પાંચસોને વ્રત આપ્યું. શાસન દેવતાએ વેષ આપવાથી તે પાંચસો બળભદ્રાદિક મહર્ષિ થયા અને સંયમ પ્રતિપાલનના પૂર્ણ ખપી થઈ કેવળી મહારાજ સાથે પૃથ્વી પીઠ ઉપર વિહાર કરવા લાગ્યા.અનુક્રમે કપિલ કેવળી મહારાજા કેટલાએક વર્ષ પૃથ્વી ઉપર વિચરી મોક્ષે ગયા. આ મહાત્માનું કેવું નિર્લભીપણું ? કેવું વિવેકીપણુ ? કેવું સંસારને અને તેના જુઠા દુઃખદાયક સુખને ધિક્કારવા પણું ? અને રાજાએ તુષ્ટમાન થઈ ઈચ્છિત આપવા છતાં તેને તિરસ્કાર કરી લેવું નિસ્પૃહીપણું ધારણ કર્યું ? તે તું જો, તેનું અનુકરણ કર, તેને પગલચાલ,લોભ છોડી દે છતાં નહિ છોડે તો તે તને ખાડામાં નાખશે.દુઃખદરિયામાં ડુબાડશે મોતના ફાંસામાં ફસાવશે કુગતિમાં ધકેલશે, અને અનંત સંસાર રઝળાવશે, માટે શાંન્તિરાખી, સંતોષ પકડી લોભ છોડી, વિવેક થઈ પરલોકનું સાર્થક સાધવા સાવધ થા. 01 લોભ ઉપર સાગર શ્રેષ્ઠીની ક્યા ) આદુનિયામાં વિશિષ્ટ પ્રકારનીધન ધાન્યની સમૃદ્ધિ વડે કરીને ભરપૂર ભરેલા અને નરરત્નો વડે કરી યુક્ત એવું રોહણપુર નામનું નગર હતું. તે નગરમાં વસનારા સમગ્ર લોકોને દૃષ્ટિ દોષની કાલિમાં ન લાગે તેવી રીતે ગળીના સમાન મલીન આત્માનો ધણીવાણિયાઓને વિષે અધમ સાગર નામનો શ્રેષ્ઠી વસતો હતો. તેના પાસે ૩૨ કોટી ધન હતું તથા ચાર પુત્રો હતા, છતાં પણ ત્યાગ ભોગ રહિત પોતાના દિવસોને નિર્ગમન કરતો હતો. તે ધનનાં લોભથી પુત્રોને ઘરને વિષે રહેવા દેતો નહોતો, તેમજ પોતાના પુત્રની વહુઓને ઘર બહાર ૩૨૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy