SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વેષને અંગીકાર કરી ત્યાંથીતે ઉઠી પ્રસન્નજિત રાજા પાસે ગયા.રાજાએ પૂછયું કે “આ શું ? તેણે કહ્યું કે “જ્યાં લાભ છે, ત્યાં લોભ છે.' વિગેરે ઉપર પ્રમાણે કરી બતાવ્યું અને મૌન ધારણ કર્યું. રાજાએ કહ્યું કે “હું આજ્ઞા આપું છું કે તું ભોગોને ભોગવ દુષ્કર વ્રતને છોડી દે, તું જે માગે તે આપું.” કપિલ મુનિએ કહ્યું કે “ગ્રહણ કરેલ વ્રત પ્રાણાંતે પણ ત્યાગ નહિ કરું, હું હાલમાં નિગ્રંથ સાધુ થયેલ છું. હે રાજેન્દ્ર ! તને ધર્મલાભ હો” અહંકાર રહિત, ઇચ્છા રહિત થઈ પૃથ્વીને વિષે અપ્રમત્તપણે વિહાર કરવા લાગ્યા. એવી રીતે વ્રતના પારિપાલન કરતાં કપિલમુનિ મહારાજને છ માસ વ્યતીત થયા ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હવે રાજગૃહ નગરના સમીપ ભાગને વિષે અઢાર યોજન પ્રમાણવાલી અતિ ભયંકર અટવી છે તે અટવીમાં બળભદ્રાદિક પાંચસોચોર વસે છે. આ પ્રત્યેક બુદ્ધ કપિલ કેવળજ્ઞાની મહારાજા તે ચોરોને બોધલાયક જાણીને અટવીમાં ગયા. તેચોર લોકો પણ કેવળજ્ઞાનીની પાસે ગયા પલ્લીપતિએ જ્ઞાનીને કહ્યું કે “હે સાધુ ! તને નૃત્ય (નાચતા) આવડે છે !” લાભ જાણી મુનીએ વાજિંત્ર વગાડવા વિના નાચ શોભે નહિ એમ કહ્યું ચોરોએ કહ્યું કે અમો તાળીયો વગાડીશું, તું નાચ કર' હવે જનતાથી કપિલ મુનિ નાચવા લાગ્યા અને તે ચોરલોકો ચારે બાજુ ભમી ભમીને તાળીયો વગાડવા લાગ્યા મુનિ મહારાજ તો તે ચોરલોકોની મધ્યમાં ને મધ્યમાં નાચ કરતા કરતા પ્રાકૃત ધ્રુવપદ ગાતા ગાતા ગાથા બોલવા લાગ્યા: अधुवे असासयम्मि, संसारम्मि दुक्खपूराए । किं नाम हुज्जे तं कम्मं, जेणाहं दुग्गइ न गच्छेज्जा ॥ ભાવાર્થ : અધ્રુવ ચંચળ નિશ્ચલતા રહિત, અશાશ્વત દુઃખથી ભરપૂર ભરેલા આ અસાર સંસારને વિષે તે કર્મ કેવા પ્રકારનું હોય ૩૨૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy