SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ હરિવહન રાજાનો પ્રધાન બારણે આવીને ઉભો છે, તમારું દર્શન ઇચ્છે છે, તેને શી આજ્ઞા છે.” રાજાએ કહ્યું કે “તેને જલ્દી મોકલ. દ્વારપાળે મોકલ્યો એટલે રાજાને પ્રણામ કરી આપેલ આસન ઉપર બેસી કુશલ વાર્તા પૂછીને વિનંતિ કરે છે કે-“હે સ્વામિન ! મારા સ્વામિને આઠ છોકરીઓ રત્નાવતી આદિ છે, તેઓ સુરેન્દ્રદત્તનાં રૂપ, લાવણ્ય લીલાવિલાસાદિક સાંભળીને તેને જ વરીશું, બીજાને નહિ એવી રીતે નિશ્ચય કરી દ્રઢ રાગવાળીઓને પોતાના પ્રધાન પુરૂષો સાથે રાજાએ મોકલાવી છે, માટે શુભ દિવસે તેના મનોરથો ફળીભૂત હો.” એવી રીતે સાંભલી રાજાએ વનને વિષે તેના યોગ્ય આવાસો આપ્યા, તેમજ નિમિત્તવેત્તા જયોતિષિઓએ કહેવા પ્રમાણે સારા મુહૂર્ત આઠે કન્યાનું સુરેંદ્રદત્તે પાણીગ્રહણ કર્યું. વિસ્મયને પામેલા લોકો કુમારનાં સૌભાગ્યને વર્ણવે છે. એકદા ગુણધર આચાર્ય આવ્યા સર્વલોક સમક્ષ પંચાંગ પ્રણિપાત પૂર્વક સુરેન્દ્રદત્તકુમાર ધર્મને સાંભળે છે. यः सर्वांग गुरुप्रमादे पुलकः पंचांगभूस्पर्शनो, दुष्टानंगविद्यातिनो जिनपतेः पादद्वयं वन्दते । मुक्त्वाशेषषडं तरंगरिपुजित्सप्तांग राज्यश्रियम् । हत्वाष्टांगमशेषकर्मपटलं पाप्नोत्यसंगं पदम् ॥३॥ ભાવાર્થ : પોતાના સમગ્ર અંગને વિષે મહાન હર્ષને ધારણ કરી રોમાંચીત થઈ પંચાંગ નમાવી ભૂમિને સ્પર્શ કરી જે માણસ કામદેવના વિઘાત કરનારા જિનેશ્વર મહારાજના બંને ચરણ કમળને નમસ્કાર કરે છે તે ઉત્તમ પ્રકારની સાત પ્રકારની રાજયલક્ષ્મીને ભોગવી અર્થાત્ બાહ્યશત્રુઓને જીતી લઈને અત્યંતર છ શત્રુઓને હણીને તથા સમગ્ર કર્મ પટલને નાશ કરીને મુક્તિપદને મેળવે છે. એવા પ્રકારના પરમાત્માને પંચાંગ નમસ્કાર કરવાના ઉપદેશને ૧૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy