SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તેનું વચન માન્ય કરું, આવું ચિંતવન કરી મકરંદ જયારે વેશ્યાને ઘરે ગયો,કપટ કરી તેની માતા-કપટથીરૂદન કરવા લાગી કારણ કે કહયું છે કે - प्रकटयति हृदयदाहं, पुरुषः प्रायेण सज्जने मिलिते । ग्रावादग्धः सलिले, पतितः पुनरुद्धमत्यग्नि ॥१॥ ભાવાર્થ : પોતાના સ્નેહી માણસોના મેળાપથી પુરૂષો પ્રાયઃ કરીને હૃદયના દાહને પ્રગટ કરે છે, કારણ કે બળેલા પત્થર ઉપર પાણી પડવાથી ફરીથી પણ અગ્નિ નીકળે છે, તેથી વેશ્યાની માતાને કહ્યું કે હે માત ! જો કોઈ પણ પ્રકારે મને મદિરા મળે તો હું તેનું નિશ્ચયસેવન કરું, આવી રીતે વારંવાર કહેનારા મકરંદના મનનો નિશ્ચય જાણીને તેણીયે કહ્યું કે હે સ્વામિન્ ! પોતાની મેળે મરણ પામવાથી યમરાજ તેના ઉપર બહુ જ તુષ્ટમાન થયો છે, તેથી આજકાલમાં પણ મારી પુત્રી આવશે ખરી. આવી રીતે કોઈક મહાજ્ઞાની નિમિત્તવેત્તાએ કહેલું છે. ત્યારબાદ બારમા દિવસે પોતાને ઘેર આવેલા મકરંદને કુટ્ટિની એ કહ્યું કે હે સુભગ ! મદિરા આવેલી છે. તે સાંભળી કયાં છે ? આવી રીતે પ્રેમમાં ગાંડો થઈ બોલે છે, તેવામાં સોળે શૃંગાર સજીને મહાદેવશ્રી સ્ત્રી પાર્વતીના પેઠે તથા કૃષ્ણની સ્ત્રી લક્ષ્મીના પેઠે તથા ઇંદ્રને સુખ આપનારી રંભાના પેઠે આકાશમાંથી ઉતરનારી વીજળીના પેઠે મદિરા પ્રગટ થઇ અને મકરંદને કહેવા લાગી કે હે સ્વામિન્ ! સ્વયં મરણ પામેલી મને જોઇને ધર્મરાજાએ પુત્રીના પેઠે બહુમાન આપ્યું, અને કનક મણિ,દિવ્ય વસ્ત્રાલંકાર મને આપ્યાં. એવી રીતે બોલીને વારંવાર તેના પગમાં પડવા માંડી આવી રીતે દેખીને નવીન ઉત્પન્ન થયેલ તેના સ્નેહ પાશમાં સજ્જન જકડાઈ જઈ પૂર્ણ દૃષ્ટિ ૩૧૧ ૩૧૧ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy