SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ મર્યાદાનું ઉલ્લંઘન કરી શકતી ન હતી. હવે ત્યાં સર્વે વેશ્યાઓને વિષે ઉત્તમ માણિક્ય સમાન તથા કામને વિષે આનંદ આપનાર રતિના જેવી મદિરા નામની વેશ્યા હતી. તે નિરંતર વસ્ત્ર સોનું, મૌકિક વિગેરે લેવાને માટે મકરંદને ઘરે આવે છે. અને પરિચય કરે છે. હવે આનું અત્યંત રૂપ લાવણ્ય પણું છતાં પણ મુનિના પેઠે લવલેશ માત્ર પણ મકરંદનું મન વિકારવાળું ન થયું, તેથી વેશ્યાએ વિચાર્યું કે-અહો ! હું દિવ્ય રૂપવાળી છું, તો પણ ચંપકની કળીને જેમ ભમરો ન ઇચ્છે તેમ મને આ મનથી પણ ઇચ્છતો નથી, માટે પ્રથમથી જ હું તેની પ્રાર્થના કરું, કારણ કે પ્રથમ પ્રાર્થના કરવામાં મને કાંઈ લજ્જા નથી, એવું વિચારી એકદિવસ પ્રાર્થના કરી તેનો મકરંદ વિચાર કરવા લાગ્યો કે - આ વેશ્યાઓને ધિક્કાર થાઓ ! આવું ચિંતવીને મકરંદે તેના સન્મુખ પણ જોયું નહિ. હવે સર્વથા પ્રકારે પોતાને વિષે આને વિરકત જાણીને વેશ્યાએ ચિંતવ્યું કે કપટ કર્યા વિના તે મને ગ્રહણ કરનાર નથી, તેમ ચિંતવી પૂર્ણ કપટ કરી તેને કહેવા લાગી કે હે નાથ ! તું મને જો અંગીકાર નહિ કરે, તો હું અગ્નિમાં પડીશ. આવી વાર્તા પરંપરાએ કરી તે કપટી વેશ્યાએ મકરંદને કાને પહોંચાડી કે મકરંદ મને ગ્રહણ કરતો નથી માટે હું અગ્નિને વિષે પડીશ આવી રીતે કહી વેશ્યા પોતાને ઘરે આવી અને ગામ બહાર ચિતા સળગાવી પોતે અંદર પડીને સુરંગ દ્વારા પોતાને ઘરે આવીને રહી, તેથી એ સ્ત્રી હત્યાના કરનારા દુષ્ટ પાપિષ્ટને ધિક્કાર થાઓ ! એવી નિંદા કરનારા નગરના લોકોના મુખેથી વેશ્યાનું મરણ સાંભળી-મકરંદ વિચાર કરવા લાગ્યોકે હા ! હા ! મેં પાપીયે સારું કર્મ કર્યું નહિ, કારણ કે સ્ત્રી હત્યા કરનાર પાપીની નિશ્ચય નરકગતિ થાય છે, માટે જો એક વાર મદિરા મળે તો તુરત ૩૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy