SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ગામ બહાર તળાવ કાઠે બેસે છે. તમામ લોકો નમસ્કાર કરવા જાય છે. તેનો છોકરો અભિમાની છે. નમવા જતો નથી. લોકોનો ઉદ્ધાર થયો. તેથી ગયો પતિ પિતાને નમસ્કાર ન કર્યો. તાપસે કહ્યું કે રાજ્યથી અભિમાન શું કરે છે ? એક તો તારો પિતા છું, બીજી બાજુથી તાપસ છું છતાં પણ અભિમાનથી નમતો નથીતો તારી શક્તિ શું છે ? દેખાડ, એમ કહી સોય તળાવમાં નાખીને કહ્યું કે રે અભિમાની ? તહારી શક્તિ હોય તો તળાવમાંથી સમય કાઢી લાવ. પુત્ર નીચું જોઈ રહ્યોતાપસે તળાવના માછલાને હુકમ કરવાથી માછલાએ સોય લાવી તાપસને આપી. તે દેખી તમામ ચમત્કાર પામ્યા માટે જે કોઈપણ લોકો પિત્રાદિકપાસે અભિમાન કરે છે તે ઈહલોકે અપવાદ અને પરલોકે દુર્ગતિનો ભોક્તા થાય છે. C માયાનું સ્વરૂપ ધO कूटस्य जल्पनं मोच्चं राज्ञा पुरा विशेषतः ।। दंभात् कीर्तिश्रियां हानिस्तमाच्च श्राद्ध परित्यजे ॥१॥ ભાવાર્થ : દરેક માણસને માયા-કપટવાળું વચન બોલવું છોડી દેવું તેમાં પણ રાજાઓના પાસે તો વિશેષથી માયા કપટનું વચન ત્યાગ કરવું. કારણ કે માયા કપટથી કીર્તિ અને લક્ષ્મીની હાનિ થાય છે. તે માટેઉત્તમ પ્રકારનો શ્રાવક માયાકપટનો ત્યાગ કરે. વિવેચન : માયા કપટ કરનાર ઈહલોકને વિષે તેમજ પરલોકને વિષે ગાઢ દુ:ખની પરંપરા પામે છે, માયા કરનાર માનવ ભવહારી જાય છે, માયા કપટ કરનાર, મરીને તિર્યંચ થાય છે ને ત્યાંથી મરી નરકે જાય છે, ફરીથી એવા ભવો કરી સંસારનો પાર પામતો નથી, માયા કપટ કરનારનો કોઈ વિશ્વાસ કરતુ નથી, માયા કપટ કરનાર, ઈહલોક પરલોકનાભયથી વિમુખ હોય છે, માયા કપટ કરનાર દયાના (૩૦૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy