SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પાછા હઠી સત્ય માર્ગને અનુસરવો જોઇએ કે તેમ કરવાથી ભવાંતરને વિષે કલ્યાણ અને મંગલની માલા પ્રાપ્ત થાય. CT અભિમાની પુત્રનું દષ્ટાંત ) એક માણસઘણો જ ગરીબહાલતમાં આવીગયો, તેથી ઉદર પોષણ થવું બહુ જ મુશીબતવાળુ થયું. છોકરો પરદેશ ગયો. ત્યાં તેના ભાગ્યોદયથી કોઇક નગરને તેને દિવાનગીરી પ્રાપ્ત થઈ. માતાપિતાને તે યાદ કરતો નથી તેની શોધમાં પિતા ત્યાં જઇ ચડયો તો પણ આ દીવાન ગરીબનો છોકરો છે એવા લોકોના ભયથી તેના પિતાના સન્મુખ જોતો નથી પિતાએ તેને અભિમાની જાણ્યો પછી સભા મળે તેના સન્મુખ જઈને ઉભો રહ્યો. તેના દિકરાએ અભિમાનથી પુછયું તું કોણ છે તેના બાપે કહ્યું કે તારી માનો દોસ્ત છું એવું કહેવાથી તે લજવાણો, પિતા તેને ધિક્કારે છે. માબાપને તું અભિમાનથી તિરસ્કાર કરે છે, પણ તને ભાન નથી કે માબાપે જન્મ ન આપ્યો હોત તો આ દિવાનગીરી તને ક્યાંથી મળત ? તે સાંભળી સભાના લોકો દિવાનને ધિક્કારવા લાગ્યા.અને તે પણ માતાપિતાની સેવા કરવા માંડયો, માટે અભિમાન કરવું નહિ, કેટલાએકજીવો અભિમાનથી પોતાના પિતા ત્યાગી બનેલા છે, તેને પણ માનતા નથી. CT શીયાળકોટના રાજપુત્રની ક્યા ) એકદા પ્રસ્તાવે શીયાળકોટનો રાજા ઘોડા ઉપર બેસી ફરવા ગયો.જંગલમાં દૂર નીકળી ગયો. ઘોડો મરણ પામ્યો આસપાસ ફરતાં તાપસને આશ્રમે ગયો. તાપસે ઉપદેશ કરવાથી રાજય છોડી તાપસ થયો. તેનો પુત્રરાજા થયો અન્યદા તે પોતાના રાજયમાં જાય છે. 30૫. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy