SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ આકાશતળને પણ બહેરું બનાવતો, ઠાઠમાઠથી રાજા પ્રભુને વંદન કરવા ચાલ્યો સાથે નગરમાં ઘણા લોકો પણ ચાલ્યા તે વખતે રાજા સોનાનું રૂપાનું વસ્ત્રોનું દાન કરતો ફૂલોના ઢગલાથી શોભિત રાજમાર્ગને વિષે ચાલવા માંડયો, જેને માથે છત્ર ધારણ કરેલ છે એવો રાજા તે સમયે જગતને તૃણ સમાન માનતો ચાલ્યો જાય છે. અનુક્રમે તેદશાર્ણ પર્વતની સમીપ ભાગને વિષે પહોંચ્યો અને ત્યાં વાહનાદિક સ્થાપન કરી,પાંચ અભિગમને સાચવી, પ્રભુને પ્રદક્ષિણા કરી, યથોચિત સ્થાને બેઠો. ત્યારબાદ હર્ષ પામેલો રાજા વિચાર કરવા લાગ્યો કે અહો આજે મેં પ્રભુને વંદના કરી છે તેવી રીતે પૂર્વે ઇંદ્ર ચક્રવત્યાર્દર્દિકે પણ નહિ કરેલી હોય તે વારે અવધિ જ્ઞાનથી સૌધર્મેદ્ર દશાર્ણભદ્રરાજાનો અત્યંત ગર્વ જાણીને વિચાર કર્યો કે અહો ! ઉત્તમ પુરૂષો પણ પોતે ઉત્તમ છતાં પણઆવા પ્રકારનો ગર્વ કરે છે તે યુક્ત નથી અહો ! અહો ! ભગવાનની પૂજા કરવાને વિષે આ રાજાનો સંપૂર્ણ દઢ ભાવ છે. સંપૂર્ણ રાગ છે. પરંતુ અભિમાન કરવાથી તે સર્વ નાશ પામે છે, કારણ કે તમામ ઇંદ્રો તથા દેવો એકત્ર થઇને તમામ રિદ્ધિ વડે કરીને એકી સાથે ભગવાનને પૂજે તો પણ ભગવાનને પૂજેલા ગણી શકાય નહિ, કારણ કે ભક્તિ રાગનો અંત નથી જિનેશ્વર મહારાજનું પૂજન કરવા સર્વથા પ્રકારે કોઈપણ શક્તિમાન થતું જ નથી.આવું ચિંતવન કરી તેના ગર્વ ઉતારવા માટે ઇંદ્ર મહારાજે આકાશને વિષે ૬૪ હજાર હાથીઓની વિદુર્વણા કરી દરેક હાથીયોને ૫૧૨ મુખો કર્યા, દરેક મુખે આઠ આઠ દંતશુળો ર્યા, દરેક દંતશુળ આઠ આઠ વાવડીયો કરી, દરેક વાવડીમાં આઠ આઠ કમળો કર્યા. દરેક કમળમાં લક્ષ લક્ષ પાંખડીયો અને એકએક કર્ણિકાઓ કરી, દરેક કર્ણિકાલે ઇંદ્રને બેસવાનું સિંહાસન કર્યું. તેના 302 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy