SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ CT માન ઉપર દશાર્ણ ભદ્રનું દૃષ્ટાંત વO માન કરવાથી દશાર્ણ ભદ્રને શોચવું પડેલ છે. આ ભરતક્ષેત્રે દશાર્ણપુર નગરને વિષેદશાર્ણભદ્ર નામનો રાજા ત્રિકાળ પરમાત્માનું પૂજન કરતો રાજય કરતો હતો. અન્યદા દશાર્ણપુર નગરના નિકટવર્તી દશાર્ણ નામના પર્વતને વિષે ભગવાન મહાવીર મહારાજ આવીને સમવસર્યા, તેથી તુરત ત્યાં આવીને દેવોએ સમવસરણની રચના કરી તેમાં બેસી ચોસઠ ઇંદ્રાદિક દેવો તથા બીજા જીવો પ્રભુની દેશના સાંભળવા લાગ્યા. ત્યારબાદ ઉદ્યાનપાળે આવીને રાજાને વધામણી આપી કે ભગવાન મહાવીર મહારાજા પધાર્યા છે. તેથી રાજાએ તેને પારિતોષિક દાન આપીને તથા ભગવાન સમવસરણ સન્મુખ સાત આઠ પગલા આગળ જઇને પ્રભુને ભાવથી નમસ્કાર કર્યો અને ભગવાનની સ્તુતિ કરીને ચિંતવના કરવાલાગ્યો કે પ્રાતઃકાળે હું પ્રભુને એવી રીતે વંદન કરીશ કે આગળ કોઈએ મારી પેઠે વંદન કરેલ ન હોય ત્યાર બાદ પ્રભુનું આગમન . જણાવા માટેરાજાયે નગરને વિષે પડહવગડાવ્યો, અને વિવિધ પ્રકારની ધજા તથા તોરણાદિક વડે કરી સમગ્ર નગરને શોભિતકરી, નાના પ્રકારના સુગંધી દ્રવ્યોને સળગાવી નગરને સુગંધમય બનાવાયું ત્યારબાદ સર્વ શૃંગારસાર હાથી ઉપરબેસીને રાજા ભગવાન પાસે જવાને માટે તૈયાર થયો તેવા અઢાર હજાર હાથીઓ, ચોરાશી લાખ ઘોડાઓ એકવીશ હજાર રથો, એ કાણું કોટી પાળાઓ, (પગે ચાલનાર) સોળ હજાર ધજાઓ, પાચ હજાર મેઘાડંબર છત્રો, ઓ ગણો તે ર હજાર શી બિકાઓ અને પાંચસો રાણીયો પાલખીસુખાસનમાં બેસીને દેવાંગનાઓના પેઠે શોભતી હતી તેના સહિત અને સામાદિકના બહોળા પરિવાર સાથે વાત્રાના નાદથી બ૩૦૧ 30 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy