SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તમે ચિંતામણી રત્ન સમાન જ છો. અને મને શરણ પણ તમારું છે, એમ કહી તેના માથામાં વાળનો ગોટો વાળેલો હતો તેને જેવો સાફકરવા બેસે છે તેવામાં મલયાચલ પર્વત ઉપર ઉત્પન્ન થયેલા બાવનાચંદનની ઘણી જ સુગંધ દેખીને બોલી કે હે સ્વામિન્ ! આ શું છે, એમ કહી પુછ્યું કે આજે તમે લાકડાનો ભારો કયાં નાખ્યો છે ? તેણે કહ્યું કે ભોજન નહિ મળવાથી કંદોઈની દુકાને મુકેલ છે ત્યારબાદ તેના સાથે જ તે ભારો લઈ આવી, કારણ કે વાદળાથી ઢંકાયેલો એવો પણ સૂર્ય શું પોતાનું તેજ પ્રકાશ્યા વિના રહે ખરો કે ? અર્થાત્ ન જ રહે. તેમાંથી એક ટુકડો લઇને ગાંધીની દુકાને જઈ તેને વેચી, તેના વસ્ત્રાલંકાર ધારણ કર્યા. ત્યારબાદ તેના કેશ, નખ સમરાવીને તથા નવરાવી તેને માણસની લાઇનમાં આવ્યો. હવે લોકો વિચાર કરે છે કે આ રંક હતો પણ પુન્યોદયને લઇને રાજાની પુત્રીને પામ્યો, માટે લોકોએ આ રંકનું નામ પુજ્યપાલ પાડયું, ત્યારબાદ જે વૃક્ષથી લાકડા લાવેલ હતો તે વૃક્ષ આખાને તેણીએ માણસો મોકલી કપાવી મંગાવ્યું અને તેને વેચીને એક હજાર સોના મહોરો ઉપાર્જન કરી હવે ગુણસુંદરી વિચાર કરે છે કે વ્યાપાર વિના મોટા મેરૂ પર્વત જેટલા પૈસા હોય તો પણ થોડા વખતમાં ખૂટી જાય છે, માટે મારે ઉદ્યમ કરવો જોઇએ, એવું વિચારી વેપાર કરવા લાગ્યો ત્યાર બાદ ગામ બહાર જઈ તેના ધણીને વર્ણ માત્રનું જ્ઞાન કરાવ્યું, ત્યાર બાદ ગણિત શાસ્ત્રને વિષે પોતાના પતિને પ્રવીણ કર્યો અને વસ્ત્રોને લેવા વેચવાના કામમાં માહિતગાર કર્યો. અને હેય તથા ઉપાદેય કર્મને વિષે હુંશીયાર કર્યો અનુક્રમે વિદ્યાને વિષે પોતાના સ્વામીને દશ થયેલો દેખીને ધર્મ કર્મના મર્મને જાણનારો બનાવ્યો. ત્યારબાદ પોતનપુર જઈને કરિયાણા લેવા વેચવાના કામને વિષે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy