SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ આપેલા જોવામાં આવે છે. તો બ્રહ્મચર્યથી ભ્રષ્ટ જીવોને બોધ કરી માર્ગને વિષે લાવવા માટે આ બ્રહ્મચર્યની પુષ્ટિ કરવાની ખાસ આવશ્યકતા છે. कर्मणा मनसा वाचा,सर्वाऽवस्थासु सर्वदा । सर्वत्र मैथुनत्यागो, ब्रह्मचर्ये तदुच्यते ॥१॥ ભાવાર્થ : સર્વ અવસ્થાને વિષે મન વચન અને કાયા વડે કરી સર્વથા પ્રકારે મૈથુનને ત્યાગ કરવામાં આવે તેનું નામ જ બ્રહ્મચર્ય કહેવાય છે. जो देइ कणय कोडिं, अहवा कारेइ कणय जिणभवणं । तस्स न तत्तिय पुन्नं, जत्तिय बंभव्वए धरिए ॥१॥ ભાવાર્થ : જે કોઈપણ પ્રાણિયાચક વર્ગને સુવર્ણની કોટીનું દાન આપે અથવા સુવર્ણમય જિનેશ્વર મહારાજનું મંદિર (પ્રાસાદ) કરાવે તો પણ જેટલું શીયળના પ્રતિપાલન કરવાથી પુણ્યથાય છે તેટલું પુન્ય ઉપરોક્ત બન્ને કર્તવ્યો કરવાથી થતું નથી. तहिं पंचदिआ जीवा, इत्थी जोणी निवासिणो । मणुआणं नवलक्खा, सव्वे पारेई केवली ॥१॥ ભાવાર્થ : ત્યાં એટલે સ્ત્રીની યોનીની અંદર નિવાસ કરનારા ઉત્પન્ન થયેલા નવલાખ પંચેન્દ્રિય મનુષ્યો જે છે તે સર્વને કેવલ જ્ઞાની મહારાજ દેખે છે. पुरिसेण सह मयाए,तेसिं जीवाण होइ उद्दवणं । वेणुअ दिळं, तत्तई सिलाग नाएणं ॥२॥ ભાવાર્થ : જેમ રૂની ભુંગળીને વિષે તપાવેલી લોઢાની સલી નાખવાથી રૂ જેમ વિનાશ ભાવને પામે છે તેમજ ઉપરોક્ત જીવો સ્ત્રીના સાથે પુરૂષ નો સંગ થવાથી વિનાશ ભાવને પામે છે. M૨૭૦) , Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy