SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ मेहुण सन्ना रुढो नव लख्य हणेइ सुहुम जीवाणं । तित्थयरेण भणियं सद्दहियव्वैपयत्तेण ॥३॥ ભાવાર્થ : મૈથુન સંજ્ઞાને વિષે આરૂઢ થયેલો માણસ સૂમ એવા નવલાખ જીવને હણે છે એમ મહાત્મા શ્રીમાન તીર્થકર મહારાજાએ કહેલું છે, તેથી પ્રયત્ન વડે કરી તેની સદહણા કરવી. સ્ત્રીના સંયોગને વિષે આવી રીતેઘણા જીવોને ઘાત કહેલ છતાં જીવો વાંચતા જાણતાં અને સાંભળતાં છતા પણ વિષય વાસના ઉપરથી ચિત્ત ઓછું કરે નહિ તેમજ શીયલનું પ્રતિપાલન કરે નહિ તો મહાન પાપ કર્મનો ઉદય સમજવો. 1 મહાભારત વિષે હ્યું છે કે , O शीलं प्रधानंन कुलप्रधानं कुलेन कि शीलविवर्जितेन । . बहवो नरा नीचकुलेषु जाता : स्वर्गं गता शीलमुपास्य धीरा : ॥१॥ ભાવાર્થ : શીયલ પ્રધાન છે પરન્તુ કુલ પ્રધાન નથી. કારણ કે નીચ કુલને વિષે ઉત્પન્ન થયેલા ઘણા ધીર વીર પુરૂષો શીયલના પ્રતિપાલન કરવાથી સ્વર્ગને વિષે ગયા છે, ઉત્તમ કુલ હોય પરંતુ શીયલ હોય નહિ તો તે ઉત્તમ કુલ સર્વથા નકામું છે.અને નીચકુલ હોય પરન્તુ શીયલનું પ્રતિપાલન હોય તો તે નીચ કુલ પણ પ્રધાન ब्रह्मचर्यस्य शुद्धस्य, सर्वभूतहितस्य च । पदेपदे यज्ञफलं, प्रस्थितस्य युधिष्ठिर ? ॥२॥ ભાવાર્થ : શ્રી કૃષ્ણ મહારાજા યુધિષ્ઠિરને કહે છે કે જે માણસ બ્રહ્મચર્ય વડે કરી શુદ્ધ છે તથા સર્વ પ્રાણિયોનું હિત ચિંતવી તેમના ઉપ૨દયા કરે છે તેને પગલે પગલેયજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે જુઓ આના ૨૭૧ ૨૭૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy