SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ છે કે જેઓ સંસારવાસને પલાશના પૂળા સમાનમાની ધર્મ કરવા ઉજમાળ થઈ સાધુ વૃત્તિ અંગીકાર કરે છે અરે ! અનુત્તર વિમાનના દેવતાઓ પણ માનવભવને માટે તત્પર થઇ રહે છે. તે માનવભવને પ્રાપ્ત કરી મુઘા-ફોગટ મૂર્ખ માણસો તેને હારી જાય છે. આવા પ્રકારે ભાવનાથી વૈરાગ્ય રંગિત થઈ ધનંજયે દીક્ષાને અંગીકાર કરી રાજા પ્રાતઃકાળે પોતાને ઘરે ગયો, અને પૂર્ણ મનોરથ વાળો થઈ ઘણાકાળ સુધી રાજયનું પ્રતિપાલન કરવા લાગ્યો. એકદા રાજા સભામાં બેઠો હતો તે વખતે કેટલાયક વાણિયાઓ ત્યાં ઘોડા વેચવા આવ્યા. રાજા તે ઘોડા ઉપર પલાણ માંડી તેની ગતિ જોવા માટે કૌતુકથી તેના ઉપર બેઠો ત્યારે સબલ નિર્બલ દ્વિપદ કે ચતુષ્પદ ઉપર કોઈદિવસ પરીક્ષા કરવા બેસવું નહિ તે એ પ્રમાણે મંત્રી વર્ગે વાર્યા છતાં પણ તે ઘોડા ઉપર રાજાએ બેસી તેની લગામ ખેંચતાંની સાથે જ ઘોડો આકાશગામીની પેઠે ચાલ્યો. અને જોતજોતામાં જાય છે જાય છે એવી રીતે લોકોના શબ્દોની સાથે જ રાજાને જંગલમાં જઈને મૂકી દીધો તેથી જેમ થવાનું હોય તેમ થાય છે. આવું ચિંતવીરાજાએલગામ મૂકી દેવાથી ઘોડો ઊભો રહ્યો. આ વિપરીત શિક્ષણ આપેલ ઘોડો છે એમ જાણી ઘોડા ઉપરથી ઉતરી સુધા અને તૃષાતુર રાજાએ જંગલમાં આમતેમ ફરવા માંડયું. હવે તે જંગલમાં હિંસક જાનવરો નથી, માટે જેમ જેમ રાજા માર્ગ કાપે છે તેમ તેમ અંધકાર હણવામાં સૂર્ય સમાન તથા તપવડે કરી અંગને શોષણ કરનાર કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલ મહાત્મા મુનિરાજને રાજાએ દેખ્યો.તેને દેખી રાજાએ જાણે અમૃતના કુંડમાં સ્નાન કર્યું હોય નહિ શું? તેવી રીતે આનંદથી રાજાએ મુનિને નમસ્કાર કર્યો. મુનિએ પણતેને ધર્મલાભ આપવાથીરાજા આનંદિત થયો. હવે આ રાજા મને વ્રત લેવામાં નિમિત્તે ભૂત છે, એમ જાણીને ૨૬૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy