SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વર્ગાદિકે વાર્યા છતાં પણ ચંદનના કાષ્ટની ચિત્તા કરાવી રાણી સાથે બળી મરવા તૈયાર થયો, તેવામાં નંદીશ્વર દીપે ગમન કરતો કોઈક વિદ્યાધર નીચે ઘણા માણસોને દેખી પોતે નીચે ઊતાર્યો અને રાજાની ઉપર દયા આવવાથી પાણીનો છંટકાવવડે કરી તેનું વિષઉતારી રાણીને સજ્જ કરીને રાજાને બળતો બચાવ્યો હવે રાજા પણ રાણીને જીવતી દેખી રંજિત થયોવાજિત્રો વાગવા માંડયા સ્ત્રીઓએ માંગલ્યના ગીત ગાવાં શરૂ કર્યા, અને સમગ્ર ઘરના લોકો હર્ષિત થયા રાજાએ પણ ઉપકાર કરવામાં તત્પર એવાં વિદ્યાઘરનું સન્માન કરીને તેને વિસર્જન કર્યો. અને રાજા તે રાત્રિ તેણીના સાથે ત્યાં જ રહ્યો, એવામાં પ્રથમથી જ સંકેત કરી રાખેલો ધનંજય ત્યાં આવ્યો, તેથી તેને રાણીએ કહ્યું કે હાં આપણને શું સુખ છે, માટે જ્યાં સુધીમાં રાજાન જાગે ત્યાં સુધીમાં દેશાંતર ચાલ્યા જઇએ, ધનંજય કહે છે કે હે મુગ્ધ ! આ તારી બુદ્ધિ સુંદર નથી. કારણ કે ફણીધરના મસ્તક ઉપરથી મણિ લેવાને માટે કોણ શક્તિમાન થાય કારણ કે રાજાના જીવતાં જે તારુ હરણકરે. તે પોતે જ રાજાની તરવાર રૂપી અગ્નિમાં બળી ભસ્મીભૂત થાય છે. એવું તેનું વચન સાંભળીરાણી રાજા પાસે ગઇ.અને નિર્દયપણે તરવાર હાથમાં લીધી અને મ્યાનમાંથી કાઢી જેવી રાજા પ્રત્યે તરવારનો ઘા કરે છે તેવામાં ધનંજયે આવીને તેણીનો હાથ પકડ્યો, અને ચિંતના કરવા લાગ્યોકે જેને આને પટરાણી તરીકે સ્થાપન કરેલ છે, તથા જેને માટે જે બળી મરતો હતો તેને વિષેપણ આ રાંડ આવી ક્રૂર છે, તો તે મારે વિષે કેવીખરાબ હશે, તે માટે અનર્થ કરનારી વિષની વેલડી સમાન આ રાંડથી મારે સયું,આટલો કાળ મેં વગર વિચાર્યું તેનું સેવન કરેલ છે. માટે મને ધિક્કારે છે. હું મારા આત્માનું સર્વસ્વ હારી ગયો છે, તેજ મહાપુરુષોને ધન્ય ૨૬૩) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy