SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ૧૬. વીતરાગની વાણી, અમૃતરસસ્વાદિની, અમૃત રસનો આસ્વાદન કરાવનારી છે. ૧૭. વીતરાગની વાણી, મુક્તિ માર્ગ પ્રકાશિની, મુક્તિના માર્ગને પ્રકાશ કરનારી છે. ૧૮. વીતરાગની વાણી, દુર્ગતિનિર્માશિની, દુર્ગતિનો નાશ કરનારી છે. ૧૯. વીતરાગની વાણી, અજરામરપદદાયિની, અજર અમરપદ અર્થાત્ નિર્વાણ-મોક્ષને આપનારી છે. जिनवंदन फल જૈન કુલને વિષે જન્મ પામી તે કુલ તથા માનવ જન્મ તેમજ પોતાના પવિત્ર આત્માનો ઉદ્ધાર કરવામાં નિરંતર દેવનું સ્મરણ કરવું જોઈએ, કારણ કે દરેક વ્યક્તિઓનો ઉદ્ધાર દેવના વંદન, પૂજન નમસ્કાર કરવાથી જ થઈ શકે છે. જિનેશ્વરદેવ રાગદ્વેષાદિક અઢાર દોષોને જીતી વીતરાગ પદને પામેલા છે, અને જે જિનેશ્વર મહારાજને વંદન કરવાથી જ ભવ્ય જીવ સ્વર્ગ તેમજ અપવર્ગના સુખને પામે છે. શાસ્ત્રકાર મહારાજ સિદ્ધાંતોમાં જિન વંદનના ફળને નીચે મુજબ કથન કરે છે. जिणवंदणं कुणंतो, हाइ नरो दुठ्ठकम्मसंघायं । पावइ पुन्नं विउलं तहमेअ निसामेह 112 11 ભાવાર્થ :—જિનેશ્વર મહારાજને વંદન કરનાર માણસ પોતાના દુષ્ટ કર્મના સમૂહને હણી નાખે છે, તથા મહાન પુન્યને પામે છે, તેહ ભવ્ય જીવો ! તમે સાંભળો. Jain Education International ૧૦ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy