SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ત્યારબાદ તમામ પક્ષિયોને વિશ્વાસુ થઈ ચરતાં દેખીને તે કાષ્ઠીભૂત થયેલી પક્ષી જલ્દીથી ઊઠીને દોડીને તેમાંથી એકને પકડી ભક્ષણ કરી ગયો, તે દેખીને તેઆગળ એક વન પ્રત્યે ગયો, ત્યાં એકતાપસને જીવોનીદયા કરતો દેખ્યોતે દયાને અર્થે યુગ મારી દ્રષ્ટિને નાંખીને ચાલતો તથા તપસ્યા કરતો દેખ્યો, તેજ તાપસને એકદા ક્રીડાને માટે વનમાં આવેલી મહેશ્વર પૈસા પાત્રની કન્યાને મારી તેના આભરણને ગ્રહણ કરતા દેખ્યો તેનું સ્વરૂપ રાજાએ જાણીને તાપસને પકડી તેનું વગોણું કરીને મારી નાખ્યો, ત્યારબાદ ચંદનપોતાના નગરે આવ્યો, અને ગુપ્ત રીતે પોતાના ઘરની ચેષ્ટા જોવા લાગ્યો, તેથી તેણે પોતાની સ્ત્રીને તે બ્રાહ્મણના સાથે ક્રીડા કરતી દેખી તેથી વિસ્મય પામીને નીચે પ્રમાણે બોલ્યો. ભાવાર્થ : પોતાના બાળકને પણ સિયસ્પર્શ કર્યો નહિ, તથા બ્રાહ્મણપણ તૃણને ગ્રહણ કરનાર નહિ, તથા પક્ષી પણ વનને વિષે લાકડું થઇ પડેલો હતો,તથાતાપસ જીવદયાને પાળતો હતો આવાં ચાર આશ્ચર્યો મેં મારી નજરોનજર દેખેલો છે. તે માટે નિશ્ચય હવે હું કોનો વિશ્વાસ કરું એ પ્રકારે ભર્તારના વાક્યને શ્રવણ કરીને કુલટા પદ્મિની સંભ્રમ થકી ઉઠી, અને ભય પામેલા બટુક બ્રાહ્મણ પણનાસવા લાગ્યો, તેને ચંદનના સેવકોએ પકડી લાકડી અને મુષ્ટિથી મારમારી અધમુવો કરી નાંખ્યો, ને પછી જવા દીધો, પદ્મિનીનું પણ મસ્તક મુંડાવી નાક કાપી ગધેડા ઉપર તેણીનેચડાવી, પોતાના ઘરની બહાર કાઢી મુકી, અને પોતે વૈરાગ્યને પામી, સ્ત્રીચરિત્રનો વિચાર કરતો, સાધુ પાસેવ્રતને ગ્રહણ સુગતિગામી થયો અને બ્રાહ્મણ તથા પોિની મરીને તિર્યંચ ગતિમાં ગયા. તેમજ બંને જણા અનંત સંસાર રઝળશે. M૨૫૦/ ૨૫o Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy