SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ O અદત્તાદાન વિષયે વજસાર ક્યા છે અવંતી વર્ધનપુરને વિષે દાન આપવાને વિષેવ્યસની વજસાર નામનો શ્રેષ્ઠી વસતો હતો. તે કેટલાયેક કાળે દ્રવ્યરહિત થયો, તેથી તે રત્નસ્થળ મધ્યે વર્તતા પોતાના મામાના પાસે દ્રવ્ય લેવાને માટે કુટુંબ સહિત ચાલ્યો એટલામાં માર્ગને વિષે જ ગિરિ રત્નપુરને વિષે રહેનારા કોઈક પુરૂષે આવીને કહ્યું કે તારા મામાને તો ત્યાંના રાજાએદંડીને નિર્ધન કરેલો છે. તે સાંભળીને વજસાર દુઃખી થયો, અને ગિરિપુરને વિષે પેઠો, રસ્તામાં ચાલતાં રાજમાર્ગને વિષે એક રત્નની માળા પડેલી હતી. તેને લોભથી લઈને પોતાના વસ્ત્રના છેડે બાંધી હવે દરવાજામાં પેસતા નીકળતા લોકો પાસેથી રાજાના માણસોએ તેની શોધખોળ કરવા માંડી, ને તેના પાસે પણ તપાસ કરવાથી તેના વસ્ત્રના છેડેથી તે નીકળી, તેને રાજા પાસે લઈગયા.રાજાએ પણ આ ચોર છે, એવું માની તેનો વધ કરવાનો આદેશ કોટવાળને આપ્યો. તેને વધ કરવાથી ભૂમિ પ્રત્યે લઇ ગયા, તેથી તેના કુટુંબને અત્યંત રૂદન કરતું દેખી તેના દુઃખથી પીડા પામેલી રાજપુત્રીએ દયાથી રાજાને વિનવીને તેને છોડાવ્યો તેથી દીક્ષા લઈને દેવલોકે ગયો. C(આકાશગામિની વિધા વિષે ધનાભિધ ચોર ક્યા TO એક બ્રાહ્મણની પાસે આકાશગામિની વિદ્યા હતી. અનુક્રમે તે વૃદ્ધ થયો તેથી અંત અવસ્થાએ તેણે ચિંતવન કર્યું કે આ વિદ્યા હું કોઈને આપું તો સારું, એવું ચિંતવન કરી તેણે એક પોતાના મિત્ર વણિકને તે આપી અને વિદ્યા સાધવાની વિધિ બતાવી, તે વાણિયો પણ કાળી ચૌદશને દિવસે ઘરની બહાર વન મધ્યે જઇને વિદ્યા (૨૩૯) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy