SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નામનો ક્ષત્રિય ઈહાં આવેલો હતો, તેણે પાણી પીધું અને પછી મારું રૂપ જોઈને તે બોલ્યો કે તું આવી રૂપાળી છે, તો તારો પતિ કેવો રૂપાળો ને બળવાન છે ? તેથી મેં કહાં કે પુરૂષો મધ્યે જેટલા મહાન પુરૂષો છે, તેના કરતા પણ એક મુઠી ઊંચો મારો પતિ છે. તે સાંભળી થોડીવાર વિશ્રામ લઇને તે પોતાને ઘરે ગયો. તેથી જણાય છે કે - આ બધુ તેમનું જ વિલસિત કાર્ય છે. ત્યારબાદ ભીમે કહ્યું કે હે સ્ત્રી ! હવે આજથી તારે ગર્વિત થઇને કોઇને કાંઇ પણ અધિક વચન કહેવુ નહિ. કારણ કે આવું વચન આગળ ઉપર વિષાદ અને વિપત્તિના કારણભૂત બની જાય છે માટે કહ્યું છે કે : अतिभुक्तमतीवोक्तम्, प्राणिनां मरणप्रदं । न कार्येऽत्र स्ययो येन, बहुरत्ना वसुंधरा ॥१॥ ભાવાર્થ : અતિ ભોજન કરેલું, તથા અતિ બોલેલું હોવાથી પ્રાણિયોનું મરણ કરનાર થાય છે. આ બાબતમાં કોઈએ ગર્વ કરવો નહિ, કારણ કે પૃથ્વીને વિષે રત્નો બહુ જ હોય છે, હવે કેટલેક દિવસે તે ભીમ પણ શસ્ત્ર સહિત શંખપુર ગયો ને ત્યાં મંકરનું ઘર જોઇને રાત્રિાએ સ્મશાન થકી એક મડદું લાવીને, ગુપ્ત રીતે તેના ઘર પ્રત્યે ગમન કરીને, ક્ષેમંકરના ઘરમાં પેશીને તેના પાસેથી તે ક્ષેમંકરની સ્ત્રીને લઈને, અને તે લાવેલું મડદું મૂકીને તેના ઘરને વિષે અગ્નિ મૂકીને ભીમ ક્ષેમકરની સ્ત્રીને લઈને સુખે કરી પોતાને ઘરે આવ્યો. ત્યારબાદ ભીમે પોતાની સ્ત્રીને કહ્યું કે તે સ્ત્રી ! કેવલ તારું વચન પાળવા માટે મે આ સ્ત્રીને આણેલી છે, તે માટે એ મારી બહેનને તારે સ્નાન માન દાન અન્ન પાન વડે કરી બહુ ભક્તિ કરવી. આવી રીતે કહેવાથી ભીમની સ્ત્રીએ તેની બહુપ્રકારે ભક્તિ કરી સંતોષ પમાડ્યો હવે અગ્નિ લાગવાથી જાગેલા હેમંકરે મડદા રૂપે M૨૩૬૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy