SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કલ્યાણ ઇચ્છનાર જીવોએ સોગન ખાવાનીકુટેવ છોડી દેવી O એક સત્ય વચનને વિષે ભીમસ્ત્રી દષ્ટાંત TO શંખપુરને વિષે ક્ષેમકર નામનો ક્ષત્રિય વાસ કરતો હતો. એ એકદા પોતાના સાસરાને ત્યાંથી પોતાની સ્ત્રીને વસંતપુર નગરમાંથી તેડીને જતો હતો તેને ચાલતા રસ્તામાં ભીમપુર નગર આવ્યું. ત્યાં પાણી પીવાને માટે ભીમ નામના ક્ષત્રિયને ઘેર જઈ પાણી માગ્યું તેની ભીમની સ્ત્રીએ પાણી પાવાથી તૃષ્ણા રહિત થઈ તે ભીમની સ્ત્રીને કહેવા લાગ્યો કે હે સુભગ તું આવીરૂપાળી છે, તો તારો પતિ કેવો રૂપવાન, બળવાન, બુદ્ધિમાન છે આવી રીતે કહેવાથી તેણે પતિના રૂપથી ગર્વ પામેલી બોલી કે આ દુનિયામાં જેટલા પુરૂષો છે, તેના કરતા મારો પતિ એક મુઠી ઊંચો છે તે સાંભળી ક્ષેમકર ક્ષણ માત્ર ત્યાં રહી, તે સ્ત્રીય સત્કાર કરવાથી પોતાની સ્ત્રી સહીત ઘરે ગયો એકદા તે સ્ત્રી વાકયને સહન નહિ કરી શકવાથી મકર રાત્રિને વિષે ભીમપુર આવીને ભીમના ઘરને વિષે ગુપ્ત રીતે પ્રવેશ કરીને, સુખનિંદ્રામાં સુતેલા તે બન્ને સ્ત્રી ભર્તારના ખાટલાને ભાંગી, તેના ઇશો ઉપણાને લઇને, ખાટલા નીચે છાણા ભરીને, તથા છરીથી પંલગમાંપાથરેલા લુગડાને છેદીને પોતાને ઘરે ગયો. ત્યારબાદ પ્રાતઃકાલે જાગૃત થયેલા બન્ને જણા નીચે વગડાના છાણાં ભરેલાં દેખી, તે છાણાના ઢગલા ઉપરથી બન્ને જણા બન્ને પડખે જુદા જુદા બન્ને બાજુ પડયા. તેથી વિસ્મયને પામી ભીમે પોતાની સ્ત્રીને કહ્યું કે તે સ્ત્રી ! હાસ્યને કરવાવાળું આવું કૌતુક નિમિત્ત વિના પણ અને વૈર વિના પણકોણે કરેલું છે? તે આપણા જાણવામાં કેવી રીતે આવી શકતું નથી.તે અવસરે પોતાના વચનનું સ્મરણ કરીને સ્ત્રી બોલી કે હે સ્વામિન્ ! આજથી પાંચ દિવસ પહેલાં શંખપુર નિવાસી ક્ષેમકર ૨૩૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy