SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ જગતસિંહને પુત્ર મદનસિંહ મારું લેણું આપતો નથી. આ ઉપરથી રાજાએ મદનસિંહને બોલાવ્યો તેમણે પણ પોતાનું કહેવું હતું તે રાજાને કહ્યું. તેથી બન્નેનો વાદ થયો ત્યારબાદ શ્રેષ્ઠીએ કહ્યું કે મારી વસ્તુની ઉત્પન્ન થયેલી લક્ષ્મી તારા બાપ પાસે લેણી ન હોય તો તું તારા બાપનાસોગન ખા.એટલે મદનસિંહે કહ્યું કે મારી તમામ વસ્તુઓ લેવી હોયતો લઇલ્યો, પણ હું મારા બાપના સોગન ખાનાર નથી,કારણકે બત્રીસ હજાર જીર્ણટંકને માટે કદાપિ કાળે હું મારા બાપને વેચીશ નહિ, કારણ પિતાનો ઉપકારકોટી ઉપાયે પણ ભૂલી શકાય નહિ, જે મૂર્ખ માણસો પોતાના પિતાના ગળાના રૂધિરના સોગન ખાય છે તેનીગતિકઈ થાયછે તેતો કેવલજ્ઞાની મહારાજા જાણે છેકહ્યું છે કે: 1 સોગન ખાનાર અનંત સંસારીએO सच्चेणवि अलिएण वि, चेइ असम्मंकरे इमोमूढो । हणिउणबोहिबीजं अणतसंसारिओहोई ॥१॥ ભાવાર્થ : સત્ય હોયકે અસત્ય હોય છતાં પણ જો મુઢ માણસ ચૈત્યના, દેવના,ગુરૂના, માતાપિતાપુત્ર કે બીજાકોઈના સોગન ખાય છે તે બોધીબીજને હણી નાખી અનંત સંસારને ઉપાર્જન કરે છે. વળી પણ કહ્યું છે કે : સત્યવચન વદનાર નર, સોગન કદાપિ ન ખાય, જુઠાથી સોગન વિના, ક્ષણ પણ ન રહેવાય. ૧. ચાલુ કાળમાં ધણા અજ્ઞાની અન્યાયી અધર્મી જીવો ઉપર પ્રમાણે અનેકના તેમજ કલ્પસૂત્ર આદિના પણસોગન ખાય છે અને ખવરાવે છે, તે બહુ જ અનર્થની પરંપરાને ઉપાર્જન કરે છે. આવા પ્રકારના વચનો સાંભળી સભાના લોકો આશ્ચર્ય પામી તેની બહુજ પ્રશંસાકરવાલાગ્યા એટલે શ્રેષ્ઠીએ કહ્યું કે હે પુત્રા ! તને ૨૩૩ ~ ૨33 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy