SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રાજાએ પ્રસન્ન થઈને રત્ન તેને સાચવવા આપ્યું, કારણ કે સ્થિર મિત્રતામાં ભેદ હોયજ નહિ. એકદા રૂષ્ટમાન થઈને રાજાએ શ્રેષ્ઠિને કેદમાં નાખ્યો અને તેના રક્ષણ માટે પોતાના સેવકોને રાખ્યા. શ્રેષ્ઠીએ કેદખાનાના રક્ષણને બે બે સોનામહોરો આપી સાંજ સવાર પ્રતિક્રમણ કર્યું ફરીથી તુષ્ટમાન થઈ રાજાએ પોતાના અંગના આભૂષણોથી તથા પાંચ પ્રકારના પાંચ વર્ણોવાળા વસ્ત્રોથી ભુષિત કરી આદરમાન સહિત ગાજતે વાજતે મહા આડંબરે તેના ઘરે મોલ્યો શ્રેષ્ઠી પણ દાન આપતો ઘરે પહોંચ્યો. રાજાના ભયથી આરક્ષક સોનામહોરો પાછી આપવા આવ્યો શેઠે કહ્યુ તારી કૃપાથી હું મારૂ ધર્મધ્યાન કરવા પામ્યો છું, માટે તે સોનામહોરો પાછી લેવાને માટે મેં તને આપી નથી એમ કહી બીજું દાન આપી તેને વિદાય કર્યો. અન્યદા સપાદલક્ષરાજા બાદશાહની સેવા કરવા આવ્યો તેમણે બાદશાહને નમીને બેમોતી તથા એક સંસદ નટુકડો ભેટ કર્યો આ બંને વસ્તુઓ અલ્પ મૂલ્યવાળી છે એમ જાણી બાદશાહને ક્રોધ ચડ્યો. સભાના લોકો જુએ છે પણ કોઈ પરીક્ષા કરી શકતું નથી. સપાદલક્ષ રાજા જાણે છે કે આ તમામ લોકો મૂર્ખ છે. ત્યારબાદ જગતસિંહે કહ્યું કે હે શાહ ! આ બન્ને વસ્તુઓ અમુલ્ય છે. પ્રથમ ચંદનની પરીક્ષા કરો અગ્નિના અંદરતપાવેલા સો મણ તેલમાં ચંદનનો કડકો નાખવાથી તે તેલ ઠરીને બરફ જેવું થઈ જશે. વળી છ માસ જવરની પીડાવાળો કોઈપણ માણસ હોય તે પાણીના અંદર ઘસીને પીવે તો નિરોગી થાય. વળી આ બન્ને મોતીઓનું કૌતુક સાંભળો એક મોતીને વેચીને બીજુ ગાંઠે બાંધતો તો સાયંકાળે ઉત્સુક મિત્રની પેઠે બને ભેગા થઈ જાય રાજાએ પરીક્ષાકરવાથીતેજ પ્રકારે થવાથી આશ્ચર્ય પામી શ્રેષ્ઠીને કહ્યું. આ વસ્તુનાઆવા પ્રભાવની ખબર તને ક્યાંથી ? (૨૩૧) ૨૩૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy