SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ અવસરને વિષે ઇંદ્રાદિક તમામ દેવોએ એકત્ર થઇને બ્રહ્માની પુત્રી સરસ્વતીની પ્રાર્થના કરી કે હે સુભગે ! તુંઆ વડવાનલ અસુરને સમુદ્રની મધ્યે નાંખી દે,તારા વિના આવું કાર્યક૨વાની બીજા કોઈની તાકાત નથી. ત્યારબાદ તે શારદાદેવીએ યુક્તિ વડેકરીને તે વડવાનલને ઘડામાં નાંખ્યો. અને પછી તેને સમુદ્રને વિષે ફેંકી દીધો. તે દિવસથી પોતાનાં પાણીને નાશ કરનાર એવો વડવાનલને સત્ય પ્રતિજ્ઞાવાળો સમુદ્રત્યાગ કરતો નથી. સત્ય વચન ઉપર જગતસિંહનું દ્રષ્ટાંત યોગીનીપુરે પિરોજશાહ જરસાણ હતો તેને સભાને વિષે જગતસિંહ નામનો શ્રેષ્ઠી સત્યવાદી શિરોમણી એકલો જ હતો કદાપિ અગ્નિ શીતળ થાય, પવન સ્થિર થાય તો પણ કદાપિ કાલે પ્રાણાંતે પણ તે અસત્ય બોલે નહિ. તેની પ્રંશસા સાંભળી ફીરોજશાહબીજા લોકોને એકાંતરે વિષે બોલાવીને પુછે છે કે તેની પાસે લક્ષ્મી કેટલી છે,તેથીદુષ્ટલોકોને દ્રોહ કરીને કહ્યું કે સીત્તેર લાખ દ્રવ્યતેની પાસે છે.ત્યારબાદ કેટલાયેક દિવસ પછી રાજાએ શ્રેષ્ઠીને પુછયુંકે તારાપાસે લક્ષ્મી કેટલી છે ? તેણે કહ્યું સાહેબ ! તપાસ કરીને કહીશ પછી તપાસ કરી ત્રીજા દિવસે કહ્યું કે મારી પાસે ચોરાસી લાખ દ્રવ્ય છે. તે સાંભળીરાજાએ વિચાર કર્યો કે આ શ્રેષ્ઠી પાસે લોકો કહ્યાકરતા પણ અધિક દ્રવ્ય છે, માટે મહાસત્યવાદી સિવાય કોઈ લોકો પોતાના પાસેના દ્રવ્યની સાચી વાત કરે નહિ તેથી તુષ્ટમાન થયેલા બાદશાહે બીજા સોળ લાખ આપી તેને કોટી ધ્વજ બનાવ્યો. એકદા પ્રસ્તાવેરાજાએ પોતાના ભંડારમાંથી એકરત્ન કાઢી શ્રેષ્ઠીને દેખાડીને કહ્યુ કેઆના સમાન બીજું રત્ન કયાં હશે ? શ્રેષ્ઠીએ કહ્યું કે દુનિયામાં બાદશાહ બે કાંઇ હશે ? તેવા વચન સાંભળી Jain Education International ૨૩૦ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy