SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ જયોતિ હોય ને શું? એવા સુવર્ણથી બીજો ગઢ કર્યો હતો. તે ગઢ ઉપર રત્નમય કાંગરાઓ કર્યા હતા. તેજાણે સુર, અસુરની સ્ત્રીઓને મુખ જોવા માટે રત્નોના દર્પણો રાખ્યા હોય ને શું ? એવા જણાતા હતા. ભક્તિથી વૈતાઢય પર્વત જાણે ગોળ થયો હોય ને શું? તેવો રૂપાનો ત્રીજો ગઢ બાહ્ય ભૂમિ ઉપર ભુવનપતિએ રચેલો હતો, તે ગઢની ઉપર દેવતાઓની વાવડીઓના પાણીમાં, સુવર્ણનાં કમળો હોય એવા વિશાલ કાંગરાઓ બનાવ્યા હતા. તે ત્રણે ગઢની પૃથ્વી, ભુવનપતિ, જ્યોતિષી વિમાનાધિપતિની લક્ષ્મીના એક ગોળાકાર કુંડલ વડે શોભે તેવી શોભતી હતી, પતાકાના સમૂહવાળા માણિકામય તોરણો પોતાના કિરણોથી જાણે બીજી પતાકાઓ રચતા હોય તેમ જણાતા હતા. તે દરેક ગઢને ચાર ચાર દરવાજા હતા, તે જાણે ચતુર્વિધ ધર્મને ક્રીડા કરવાના ચાર ગોખલા હોયને શું? તેવા દેખાતા હતા. તે દરેક ધારોએ વ્યંતરોએ મૂકેલા, ધૂપના પાત્રો, ઇંદ્રનીલમણિના સ્થંભના જેવી ધૂમ્રલતાને છોડતા હતા, તે સમવસરણના દરેક દ્વારે ગઢની જેમ ચાર ચાર બારણાવાળી, સુવર્ણના કમલવાળી, વાવડીયો કરી હતી, અને બીજા ગઢમાં પ્રભુને વિશ્રામ કરવા માટે દેવછંદ બનાવેલ હતો. પ્રથમ ગઢના પૂર્વદ્વારમાં અંદર, બંને તરફ સુવર્ણના જેવા વર્ણવાળા, વૈમાનિક દેવો દ્વારપાળ થઈને રહ્યા હતા, દક્ષિણ દ્વારમાં બન્ને બાજુએ જાણે બીજાના પ્રતિબિંબ હોય તેવા ઉજ્જવળ વર્ણવાળા વ્યંતર દેવતા દ્વારપાળો થયા હતા. પશ્ચિમ દ્વારમાં સાયંકાળે જેમ સૂર્ય ચંદ્ર સામસામા આવીને રહે તેમ રક્ત વર્ણવાળા જયોતીષી દેવતા દ્વારપાળો થયા હતા, ઉત્તર દ્વારે જાણે ઉન્નતમેઘ હોય તેમ કૃષ્ણ વર્ણવાળા બે ભુવનપતિ દેવતા, બન્ને તરફ દ્વારપાળ થઈ રહેલા હતા, બીજા ગઢના ચારે દ્વારે બન્ને તરફ અનુક્રમે અભય, પાશ અંકુશ, મુદ્ગરને ધારણ કરનારી, શ્વેતામણિ, સ્વર્ણમણિ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy