SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ધારણ કરી બિચારો મીઠાઇવાળો હાથ જોડી બોલ્યો કે ભાઈ માફ કરો આપ બન્ને જણા સાચા છો. હવે અહીંથી પધારો” આમ કહેવાથી બન્ને જણાએ રસ્તો પકડ્યો મીઠાઈવાળાને બિચારાને નુકશાન થયું. મીઠાઈ મફત ખાઈ જઈ બન્ને જણા જેમ માલ ધણીને ઉલટા ગળે પડ્યાએવા લોકો પણ ધણા છે. એક તો માણસનો બગાડો કરે છે. અને પાછા બિચારાને માથે કલંક નાખે છે. જો કે આવા અન્યાયી જીવો કદાચ પ્રપંચથી બીજાનો બગાડો કરી દુનિયામાં ભલેસત્તા થાય પરંતુ પરમાત્માને ત્યાં સરખો ન્યાય છે કર્મ મહારાજા એવો ગુન્હેગારોનકદાપિ કાળે છોડનાર નથી. પરની વસ્તુ લઈપૈસા આપવા નહિ અને વળી તેમને ગળે પડવું અને કલંક નાખવું એ ઉત્તમ જીવોના લક્ષણ ન જ કહેવાય પોતાનું એક પાપ ઢાંકવા માટે સામાની ઉપરજુઠું કલંક નાંખી એક જુઠાણા માટે હજાર જુઠાણા સેવન કરવા તેના આ ભવ અને પરભવ બગડે. અત્યારે લોકો પોતાના સ્વાર્થ સાધવા અનેક પ્રકારે પરને સતાવવામાં જે કમ્મર કસે છે તેદિલગીર થવા જેવું છે, હાલમાં અસત્ય જુઠી સાક્ષી, કલંક, છળ પ્રપંચ, કપટ વિશ્વાસઘાત, મત્સર અને ઇર્ષાનો તો એટલો વધારો થયેલો જોવામાં આવે છે કે તેમાં અક્કલ કામ કરતી નથી, વહાલા વાંચક ! તું અસત્યના દોષથી ન્યારો રહેજે ન્યાયમાં વર્તન કરજે અને સુખી થજે કદાપિકાળે પ્રાણાંતે પણ પરનો બગાડો થાય તેવું વર્તનકરીશ નહિ ત્યારે જ તું તારો જન્મ સફળ કરનાર થઇશ. સ્વાર્થ વિના પણ જુઠી સાક્ષી પુરવાર કગડાના છે ( વિષયે હંસ કાક ગ્રામ્ય લોકકથા એક સરોવરને વિષે અકરાળ નામનો હંસ પોતાની સ્ત્રી હંસલીની સાથે વસતો હતો. એકદાવર્ષા ઋતુમાં સરોવરનું પાણી ડોળાયેલું દેખીને સ્ત્રી સહિત માનસરોવર તરફ ચાલતાં માર્ગમાં ૨૨છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy